SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 51 - – ૩ : એ સડાને દૂર કરો ! - 40 – આવ્યું છે. “આચાર્ય' પણ પરમેષ્ઠિ મંત્રમાં ત્રીજે પદે બિરાજે છે. માટે એમના ગુણોનું સમુત્કીર્તન, એ પણ મંગળરૂપ છે. અને એ “મધ્યમંગલ અભિલષિત શાસ્ત્રના સ્થિરી-કરણને કરવા માટે છે. અંતમંગલ' રૂ૫ ‘ઉપાધાનશ્રુત' નામના નવમા અધ્યયનમાં આવતું છેલ્લું સૂત્ર છે, કારણ કે તે ધ્યાન કરાવનારું છે. ધ્યાન, સંસારરૂપ મહાતરુના સ્કંદનો (મૂળ) છેદ કરાવવા દ્વારા પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત છે, માટે એ મંગળરૂપ છે. ને એ “અંતમંગલ' આ શાસ્ત્ર અને તેનો અર્થ શિષ્યપ્રશિષ્યની પરંપરામાં અવિચ્છિન્નપણે ચાલુ રહે એ માટે છે ! સભા : શ્રી ગણધરદેવ તો જ્ઞાની હતા. તો પછી તેઓને મંગલની આચરણા કરવાની શી જરૂર? જ્ઞાની પુરુષોની આચરણાઓ અનેક હેતુથી હોઈ શકે છે. “મંગલ કરણીય છે' - એ વસ્તુ શિષ્યજનને બોધ કરાવવા માટે પણ હોઈ શકે. એવા એવા અનેક હેતુઓની કલ્પના જ્ઞાનીની આચરણાઓમાં કરી શકાય. બીજું – “જ્ઞાની જાણતા હતા, માટે શું કામ મંગળ કરે ?' - એ પ્રશ્ન જ ન હોઈ શકે. કારણ કે જ્ઞાની એમ પણ જાણતા હતા કે “મંગળ કરવું જોઈએ અને મંગલના યોગે નિર્વિજ્ઞ સમાપ્તિ વગેરે થશે.' માટે જ્ઞાનીની વાતોમાં આવા પ્રશ્નો જ ન હોય. જ્ઞાની જેમ એ જાણતા હતા કે “આ થવાનું છે તેમ એમ પણ જાણતા હતા કે આમ કરવાથી આ થવાનું છે.” શ્રી તીર્થંકરદેવો તો ગર્ભથી જ બધી વાતો જાણે. જન્મસમય, દીક્ષાકાળ, કેવળજ્ઞાનપ્રાપ્તિ ક્યારે થશે તે અને નિર્વાણનો સમય, એ બધું જ જાણે. એ જાણે કે મુક્તિ થવાની છે, પણ સાથે એ પણ જાણે કે દીક્ષાના યોગે, ઉપસર્ગાદિ સહવાપૂર્વક, તપશ્ચર્યાથી નિર્જરા કરવા દ્વારા ક્ષપકશ્રેણીના યોગે કેવળજ્ઞાન મેળવ્યા બાદ જ મુક્તિ થવાની છે. ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે બોતેર વર્ષની વયે મુક્તિ થવાની છે, તો ચારિત્ર શું કામ લીધું ?” આમ પૂછનારને કહેવું કે “મુક્તિએ જવાનો છું” એમ જે રીતે જાણતા હતા, તેમ સાથે એમ પણ જાણતા હતા કે રાજપાટ છોડી, ત્યાગ સ્વીકારી, ઉપસર્ગાદિ સહન કરી, કેવળજ્ઞાન મેળવ્યા બાદ જ મુક્તિ મળવાની છે.” અને “તેઓ અમુક વયે કેમ નીકળ્યા ?' એનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy