SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ઃ એ સડાને દૂર કરો ! જ્ઞાનીના વર્તનમાં પ્રશ્નો જ ન હોય : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય સાચો વિવેક જાગતો નથી. એ જાગે નહિ ત્યાં સુધી હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થતું નથી. અને એ હેયોપાદેયનું જ્ઞાન ન થાય ત્યાં સુધી રાગ, દ્વેષ ને મોહ ઘટતા નથી, તેમજ એ ઘટે નહિ ત્યાં સુધી દુઃખ દૂર થતું નથી અને સુખની ભાવના ફળતી નથી. એટલા માટે સુખના અર્થીએ, સુખના અર્થી માટે શ્રી અરિહંતદેવના વચનનો જ અનુયોગ કરવો જોઈએ. શ્રી અરિહંતદેવની વાણીને ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં ચરણકરણાનુયોગનું મુખ્ય છે. અને એ ચરણકરણાનુયોગ નું મુખ્ય પ્રતિપાદક, “શ્રી આચારાંગ' નામનું પ્રથમ અંગસૂત્ર છે. તે પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત છે, માટે વિપ્નમય છે, અને એટલા માટે મંગલ અવશ્ય કરવું જોઈએ. એટલે તે મંગલ - “આદિમંગળ, મધ્યમંગળ અને અંતમંગળ” – એમ ત્રણ રીતે આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે. આદિમંગળરૂપ પ્રથમ સૂત્રમાં અર્થથી દ્વાદશાંગીના પ્રણેતા ભગવાન શ્રી મહાવીરદેવનું સ્મરણ તથા એ તારકની આજ્ઞાની આધીનતા અને એ તારકની આજ્ઞામાં જ કલ્યાણ ,એવો નિરધાર કરીને કરેલું મંગળ, એ જેવું તેવું મંગળ નથી. તારકને નમસ્કાર શા માટે કરવાનો ? આધીનતા બતાવવા ! જ્યાં આજ્ઞાની આધીનતા હોય, ત્યાં જ સાચો નમસ્કાર સંભવે છે. નમસ્કાર, સેવા કે પૂજા કરતાં પણ આજ્ઞાધીનતાની કિંમત વધી જાય છે. હવે પ્રશ્ન એ છે કે “એ આદિમંગળ શા માટે ?' એનો ઉત્તર એ છે કે સૂત્રાર્થના પારને પામવામાં પણ વિઘ્નો હોઈ શકે છે, માટે નિર્વિઘ્નપણે ઇચ્છિત શાસ્ત્રાર્થના પારને પામવા માટે આદિમંગળ છે. મધ્યમંગળ' તરીકે “લોકસાર' નામના પાંચમા અધ્યયનના પાંચમા ઉદ્દેશમાં આવતા સૂત્રથી દ્રહના ગુણોથી આચાર્યના ગુણોનું ઉત્કીર્તન કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy