SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ : - 39 પ આવી જાય, એ માટે ઝવેરીની જરૂ૨, પણ હીરાના ઢગલામાંથી હીરા લેવા હોય તો તો ખોબા જ ભરાય. સામાન્ય માણસે હીરો લેવો હોય તો સીધું ઝવેરીને ઘરે જવું પડે, ભય તો નહિ ? સારી ને ખોટી બે ચીજ હોય ત્યાં વિચાર. 553 વૈદ તો બધી માત્રા બતાવે, જુદાં જુદાં પથ્ય હોય તે પણ બતાવે, પણ આપે યોગ્યને ! તેમ મુનિ પણ સર્વવિરતિ ક્યારે આપે ? અર્થ અને કામનો તદ્દન ત્યાગ કરીને આવે ત્યારે ! રાતી પાઈ પણ ન રખાય, એમ માનીને આવે ત્યારે ! સર્વવિરતિને આપનાર ‘કરેમિ ભંતે’ ચારે ઉચ્ચારાવાય ? ત્યારે જ, કે જ્યારે શરીર ઉપર વાલની વીંટી પણ ન હોય. માબાપને, બંગલાબગીચાને ભૂલે ત્યારે ! દેવાનું બધું પણ શરત ખરી. જીવતાં સુધી બધું છોડવું પડે. મનથી, વચનથી અને કાયાથી. કાયાથી એ કે હવે ઘરમાં નહિ જવાય, વચનથી ઘર મારું નહિ બોલાય અને મનથી ઘર મારું નહિ મનાય. આ પથ્ય. ચીજ બધી દેવાય, પણ સામાનું એકાંતે કલ્યાણ થાય તેવી. વૈદ માત્રા આપે, પણ કહે કે, ‘તેલને આંગળી પણ નહિ અડાડાય. ઘી, ઘઉં, દૂધ, સાકર વગર કાંઈ નહિ ખવાય. જો બીજું ખાઈશ તો મારી માત્રા ફૂટી નીકળશે, કીડા પડશે, પાછું વારણ નહિ થાય, બચાવ નહિ થાય, બચાવની એક પણ બારી નહિ રહે અને મસાણેસ્મશાને જવું પડશે.' જોકે વૈદ કુટુંબીને કહેતો જાય કે કંઈ ગોટાળો થાય તો તરત ખબર આપજો, પણ એ વાત બનતાં સુધી દરદીને તો ન જ કહે. દરદીને તો ચોખ્ખું આવું જ કહે. વૈદ પાસે વારણ તો હોય. વારણ ન હોય એ વૈદ નહિ . એવા વૈદની દવા ખાવી નહિ. જે પ્રતિકાર ન કરી શકે, તેવો ઉપકારી ન જોઈએ. આપ્યા પછી ફેરફાર થાય તો સુધારો કરી શકે, એવો ઉપકારી જોઈએ. શાસ્ત્ર એટલા માટે તો પ્રાયશ્ચિત્ત રાખ્યાં. પ્રાયશ્ચિત્ત લેવાં પડે એવી ક્રિયા કરવી જોઈએ નહિ, પણ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત છે, કારણ કે છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર છે. તમારી પાસેની કેટલીયે ચીજો આપવા જેવી નથી અને ભોગવવા જેવી પણ નથી. પણ મુનિ જો પોતાના મુનિધર્મમાં નિષ્ઠ રહે તો એની પાસે ઘાતક એક પણ ચીજ નથી. આથી ઉઘાડું જ છે કે મુનિથી ધર્મલાભ સિવાય બીજું કંઈ કહેવાય નહિ. વેશ્યાએ અર્થલાભ માગ્યો . મુનિ ‘અર્થલાભ નથી' કહીને ચાલ્યા ગયા હોત તો કંઈ નહોતું, પણ શ્રી નંદિષણ મુનિવરને ત્યાં કર્મોદયે અહંકાર આવ્યો. ‘શું મારી પાસે અર્થલાભ નથી ?’ એમ થયું. ‘શું હું કમ છું ?’ એમ થયું. મારી પાસે અર્થલાભ નથી’ એમ કહેવામાં શ૨મ શી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy