SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ : - 39 કરે છે. એ રીતે કરનાર આત્માને મલિન આચાર એટલો મલિન નહિ કરે, કે જેટલો “કરવો જોઈએ” એમ માનીને કરે, એ આત્માને મલિન કરે. આચાર નથી માટે તો સમ્યગ્દષ્ટિને પણ શાસ્ત્ર બાળકોટિમાં મૂક્યા. જ્યાં પંડિતમરણની વાત આવે છે, ત્યાં મુનિના મરણને પંડિતમરણ કહેવાય છે. વ્રતધારી દેશવરતિ શ્રાવકના મરણને બાલપંડિતમરણ કહેવાય છે અને બાકીનાં બધાં મરણને બાલમરણ કહેવાય છે. એમાં સમ્યગ્દષ્ટિ પણ આવી જાય. 547 સમ્યગ્દષ્ટિ : યોગ્ય રીતે જ્યાં આચારશુદ્ધિ પણ ન કેળવાય, ત્યાં આવી ગયેલું સમ્યક્ત્વ પણ ટકવું બહુ કઠિન છે. દ્રવ્યાનુયોગમાં જે તત્ત્વચિંતા છે, તે બીજે ક્યાંય નથી, પણ તે તત્ત્વમાં રમણતા થવી જોઈએ. કોઈ કહે કે ‘ચારિત્ર્ય ન આવે પણ તત્ત્વજ્ઞાતા હોય તો તત્ત્વરમણતા કેમ ન આવે ?' બાહ્ય સંયોગોમાં અતિશય ગૂંચાઈ ગયેલા આત્માને એ સંયોગોની ગૂંચ નીકળ્યા વિના, જોઈતી તત્ત્વરમણતા આવતી નથી. પરતંત્રતાનાં બંધન છૂટ્યા સિવાય સ્વતંત્ર કઈ રીતે થવાય ? સમ્યગ્દષ્ટિ પણ ચારિત્રી નથી બનતો, એ ઇચ્છાથી કે પરતંત્રતાથી ? જો ઇરાદાપૂર્વક ચારિત્રી ન બનતો હોય, તો એ સમ્યગ્દષ્ટિ જ નથી. ‘પરતંત્રતા વળગેલી છે, માટે એ ચારિત્રી નથી બનતો' એ વાત જુદી, પણ તે ઇરાદાપૂર્વક ન બને, એ તો બનવા જોગ જ નથી. ૧૯ હવે વિચારવાનું એ છે કે પરતંત્રતા મજબૂત છે કે મજબૂત માની લીધેલી છે ? શ્રી શ્રેણિક મહારાજા અને શ્રી કૃષ્ણ મહારાજા માટે તો આ મુદ્રામાં કહી શકીએ કે એ પરતંત્ર હતા, પણ તેમ બીજા માટે નહિ કહેવાય : કારણ કે ત્યાં તો જ્ઞાનીએ નિશ્ચિત કહ્યું હતું. તે છતાં પણ એ મહાપુણ્યશાળીઓના આખા જીવનમાં, વિચારમાં અને પ્રયત્નોમાં તો સર્વવિરતિના ધોધ વહેતા હતા. ભલે એ લેતા નહોતા, પણ પ્રશંસા તથા સઘળા પ્રયત્નોથી તેની આરાધના માટે તો તેઓ સજ્જ જ હતા. આટલી ભાવના, આટલા પ્રયત્નો અને ‘બધા પામે તો સારું' એવા વિચારો છતાં, એમનાથી ન બની શકે તો તો મનાય કે પરતંત્રતા છે, પણ જ્યાં ભાવ ન હોય, બહુમાન ન હોય, તે તરફ દૃષ્ટિ ન હોય, કોઈ જાતનો પ્રયત્ન સરખો પણ ન હોય, તો એના માટે ન કહી શકાય કે એ પરતંત્રતામાં પડેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy