SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 538 રહેશો તોયે જવાનું છે, નિયત સમયે જવાનું છે, ગમે તે સમયમાં, ગમે તે સ્થાનમાં, ગમે તે સંયોગોમાં હો, પણ શરીરને છોડ્યા વિના છૂટકો જ નથી. શરીર પારકું છે, જવાનું છે, એને પોતાનું અને સ્થિર માનીને ધમાચકડી કરવી, એમાં કઈ બુદ્ધિમત્તા છે ? શ્રીમાન હોય, લાખોની આવક હોય, સઘળી હોશિયારી હોય, છતાં એ બધું ચાલ્યું જાય છે. આદમી ગમે તેટલો હોશિયાર હોય, તો પણ એ શરીર જવાનું. જવાનું તે રહેવાનું નથી, રાખીએ તો પણ રહેવાનું નથી. કોઈ સત્તા નથી કે રાખે. આવા શરીર પાછળ, આવા દુનિયાના પદાર્થો પાછળ, જિંદગી બરબાદ કરવી – એમાં કયું ડહાપણ છે? જે શાસ્ત્રને પણ ન માને ને અનુભવને પણ ન માને, તેનું થાય શું ? પારકાને પોતાનાં માની માનીને બધાની જેમ મરી જવું છે, કે જૈન તરીકે જીવન-મરણનો ફડચો લાવવો છે ? પારકાને પારકું માનવામાં આટલી બધી મૂંઝવણ કેમ ? ચૈતન્યને અને જડને સંબંધ શો ? બેય ચીજ જુદી છે, એમ નિશ્ચિતપણે સમજી શક્તિનો સદુપયોગ કરો, તો જ પ્રભાવના થઈ શકે ! સમ્યફ અને મિથ્યા પ્રવૃત્તિનાં નિદાન સમજો ભગવાન શ્રી મહાવીરદેવ ધ્યાન ધરે, શ્રી સુધર્મા-ઇંદ્ર પ્રશંસા કરે, અને સંગમ' નામના દેવના અંતરમાં લાહ્ય લાગે, એનું કારણ શું ? ભગવાન શ્રી મહાવીરદેવ એટલે છએ કાયના પાલક પિતા. એ ભયંકર અટવીમાં એકલા ધ્યાન ધરે અને એમની અપૂર્વ ધીરતા જોઈ અસંખ્યાત દેવોના સ્વામી ઇંદ્રને આનંદ આવે, એ કદી પ્રશંસાના બે બોલ કહે, એમાં સંગમને ગુસ્સો આવે એનું કારણ? એ જ કે આ પાપાત્માની મિથ્યાદૃષ્ટિતા ! પાપના ઉદયવાળાને પાપ બાંધવા માટે આવાં નિમિત્તો મળે. શાસ્ત્ર કહે છે કે સંગમને ઘોર મિથ્યાત્વનો ઉદય છે અને તેનો આત્મા અભવી છે. જો એમ ન હોય, તો છ મહિનાની ધીરતા જોયા બાદ પલટો થયા વિના ન રહે. એણે પ્રભુને જે તકલીફ દીધી છે, તે હદ બહારની છે. સાધુઓની સામે, સજ્જનની સામે, બીજા પણ ધમાચકડી કરે, પણ બે-ચાર-છ દિવસ પછી ધીરતા જોઈ પલટો થાય; પણ દુર્ભવી હોય કે અભાવી હોય એને પલટો તો ન થાય, પણ જેમ જેમ ધીરતા દેખાતી જાય, તેમ તેમ ગુસ્સો ચડે. છેવટે છ મહિને સંગમ થાક્યો. “હવે ચાલશે નહિ' એમ જોયું, એટલે હાથ જોડ્યા. તે પણ શા માટે ? ઇદ્ર નારાજ થશે, પેસવા નહિ દે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy