SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 537 - ૧ : સદાચારનું મહત્વ સમજા ! - 38 - ૯ બળશક્તિ છે, હાથમાં હથિયાર છે પછી ઝાલ્યું રહેવાય ? પણ નિયમની આધીનતા છે ! પેલો ક્ષત્રિય રાજા કહે છે કે “વાણિયા પર પહેલો ઘા કરતાં શરમ આવે છે, માટે તમે પહેલો ઘા કરો.' મંત્રી કહે છે કે “રાજન્ ! ઘા કરો અને પછી અનુભવ લો કે વાણિયા કેવાક છે. બાકી એમ ના માનશો કે આવેશમાં આવી જઈને પણ હું પહેલો ઘા કરું. કદી પહેલો ઘા હું નહિ કરું.” વિચારો કે પ્રતિજ્ઞામાં ધીરતા કેટલી ? ધર્મ તો ત્યાં વસે છે. | નિયમ એ કે “નિરપરાધી ત્રસ જીવને મારવાની બુદ્ધિએ સંકલ્પપૂર્વક મારું નહિ.' આવા નિયમધારી આત્માને અપરાધી પ્રત્યે પણ ભૂંડાની ભાવના તો ન જ હોય. ઘરબારી છે, વ્યવહારમાં ફસેલો છે, માટે અપરાધી પ્રત્યે શાંતિ રાખી શકતો નથી, માટે પોતે છૂટ રાખી, પણ કંઈ જ્ઞાનીએ છૂટ નથી આપી. આજે તો અપરાધ ન હોય તો પણ કલ્પી લેવાય છે. અપરાધી ઉપર પણ દુષ્ટ, એટલે કે તેના અહિતની ભાવના આવી કે સમ્યકત્વ મેલું થાય અને પરિણામે કદાચ ચાલ્યું પણ જાય. શ્રી વસ્તુપાળ, તેજપાળ તથા શ્રી વિમલ મંત્રીનાં નામ તો લે, પણ એમની કાર્યવાહી ન જુએ. એમ તરત કહી દે કે “એ બધા યુદ્ધમાં પણ વિશારદ હતા, તો અમે કેમ ન થઈએ ?' પણ એ પહેલો ધર્મને માનતા કે આ બધી ધમાચકડીને, એ ન જુએ, એમ કહી દે કે “એ મંત્રી હતા માટે પ્રભાવના કરી.” પણ એ ન વિચારે કે “મંત્રી તો ઘણાયે થયા છે, બધાએ કેમ ન કરી ? આમણે જ કેમ કરી ? શ્રી વસ્તુપાળ આદિએ પ્રભાવના કરી, તે એ મંત્રીપદને આધીન હતા એથી કે ધર્મને સ્વાધીન હતા એથી ? એ જાણ્યું છે ? જો એ ન જાણ્યું હોય તો જાણી લો કે એ તો ધર્મ જતો હોય તો મંત્રી મુદ્રા પણ ફેંકી દેવાને તૈયાર હતા. વ્યવહારમાં રહ્યા માટે તેટલા પૂરતી મંત્રી મુદ્રાની જરૂર માનતા, પણ એની ખાતર ધર્મને જવા દેવાનું માનતા નહોતા. દૃષ્ટાંતો લો તો ધર્મકથા રૂપે લો, પણ વિકથારૂપે ન લો. પેલા રાજાએ બાણ ફેંકવું, પછી વસ્તુપાળ-તેજપાળ મંત્રીઓએ યુદ્ધ કર્યું અને એ રાજાને બાંધી પોતાના રાજા પાસે લાવ્યા. આવી સ્થિતિમાં નિયમમાં સ્થિર રહેવાનો ગુણ ક્યારે આવે ? ધર્મક્રિયાના ધ્યેયને હૃદયમાં સ્થાપે તો ! ધર્મીએ શરીરને પારકું તો માનવું જોઈએ ને ! શરીર છોડવા જેવું કે રાખવા જેવું ? છોડવા જેવું નહિ માનો, તોયે છોડ્યા વિના ચાલે એમ નથી. વળગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy