SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૩ પ્રાસ્તાવિકમ્ બીજા ભાગમાં મુખ્યત્વે મંગળાચરણના શ્લોકોના આધારે અનેક વિષયો ઉપર પ્રકાશ પાથરી પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ આ ભાગમાં શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના પહેલા સૂત્રની વિવેચનાનો પ્રારંભ કર્યો છે. સૂર્ય જે માઉસંતે' - ના મંગલ નાદપૂર્વક પરમ વિનીત સ્વ-શિષ્યોત્તમ શ્રી બૂસ્વામીને ગણધર ભગવાનશ્રી સુધર્માસ્વામીજી મહારાજા તે વાણી સંભળાવી રહ્યા છે કે, જે તેઓ શ્રીમદે પરમતારક પરહિતૈકવત્સલ પરમાત્માશ્રી મહાવીર દેવના ચરણોની સેવા કરતાં કરતાં તેઓશ્રીજીના શ્રી મુખે સાંભળેલી. આ ભાગનાં શરૂનાં ત્રણ પ્રવચનમાં એ મૂળ સૂત્રધારે ધ્યેયની શુદ્ધિ, નિયમપાલનની દઢતા, ઈન્દ્રિયવિજય, સાધુના આશીર્વાદનો પ્રકાર, ચડેલાને જ રહેતો પડવાનો ભય, વિષયકષાયનાં બંધનો અને ગુરુની ફરજ તેમજ શાસનના અંગોમાં લાગેલા સડાને દૂર કરવો અનિવાર્ય : જેવા વિષયોનું સ્કુટ વિવરણ કર્યું છે. ત્યારબાદનાં ત્રણ પ્રવચનોમાં ભગવાને આચાર (આચારાંગ) ક્યારે કહ્યું ?” એ પ્રશ્નની વિશદ્ ચર્ચા કરતાં ધર્મના પ્રભાવે સ્વયં મળતાં સુખો અને તેમાં જીવને મળતી વિરક્તિ અને માંગીને મેળવેલાં સુખમાં થતી જીવની રતિ આદિનું વર્ણન કર્યું છે. એમાં શાસનની મર્યાદાઓ તેમજ જ્ઞાનના સ્વરૂપની પીછાણ પણ કરાવી છે. સાતમાં પ્રવચનમાં શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનનું પ્રતિપાદન કરી વર્તમાન શિક્ષણ શૈલી પર બરા પ્રહાર કરાયા છે. આઠમામાં એ જ અધ્યયનના વિભિન્ન ઉદ્દેશાઓમાં કરાયેલી વાતોને તેમજ બીજા લોકવિજય અધ્યયન અને ત્રીજા શીતોષ્ણીય અધ્યયનમાં કહેવાયેલ વાતો સુંદર રીતે રજૂ કરી છે. એમાં દુનિયાદારી સાથે સાધુનો સંબંધ, રાષ્ટ્રધર્મ શું ?, શરીરની રક્ષા કે સેવા ? ઋષભદેવ પ્રભુએ રાષ્ટ્રધર્મ કેમ ન કહ્યો ? જેવા વિષયો છણ્યા છે. નવમા પ્રવચનમાં વૃત્તિના આધારે જૈન શાસનના પાયારૂપ સમ્યવની વાત કરી ત્રીજાચોથા અધ્યયનનો સંબંધ બતાવ્યો છે. ત્યાર પછીના પ્રવચનમાં ક્યાં ક્યાં અધ્યયનો કયાં કયાં તત્તવોનાં પ્રતિપાદનને કરે છે તે પણ જણાવ્યું છે. અગ્યારમા પ્રવચનમાં ચોથા સમ્યક્ત અધ્યયનના આધારે દર્શનપૂર્વકના જ્ઞાનની જ કિંમત છે, એમ બતાવી બારમામાં પાંચમા લોકસાર અધ્યયનના વિવરણ રૂપ લોકમાં સારભૂત વસ્તુઓ કઈ કઈ છે, તે જણાવતાં આશાપૂર્વકના તપનું મહત્ત્વ, આભા સંશોધકોની હીન મનોદશા આદિ બાબતો ચર્ચા છેલ્લાં પ્રવચનમાં “શ્રુતનું અવલંબન એ જ આધાર' એ વિષયને વિસ્તારથી સ્પર્યું છે. આ ભાગમાં સળંગ-3૮ થી ૫૦ એમ કુલ-૧૩ પ્રવચનો લેવાયાં છે. આચારાંગ ગ્રંથ અને પ્રવચનકારશ્રીની સુંદરતમ પરિચય કરાવતી ‘ગ્રંથ અને ગ્રંથકાર" નામે વિસ્તૃત પ્રસ્તાવના પણ આ જ ભાગમાં અપાઈ છે. પ્રાસ્તાવિકમ 45 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy