SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જ હતી.” એટલે દેશ તથા દુનિયા માટે આપણી પ્રવૃતિ તો ઉપકારક છે. યંત્ર, મિલ, કારખાના - એ બધાને જૈન શાસનમાં પાપ માનેલ છે. જૈન ધર્મની દષ્ટિએ પંદર કર્માદાન (હિંસક વ્યાપારો)ના આપણે સખ્ત વિરોધી છીએ. વર્તમાનમાં આરંભ-સમારંભને વધારનારું છે શિક્ષણ દુનિયામાં અપાઈ રહ્યું છે, તેની તો જૈન સાધુઓ ના પાડતા જ આવ્યા છે. આજે દેશના નામે વાતો કરનારા એ શિક્ષણ છોડી શકતા નથી, એનું શું કારણ છે ? શું તમને એમ નથી લાગતું કે - આ વાતો કરનારાઓને કાંઈ પણ અમલ નથી કરવો અને માત્ર ધર્મ પ્રત્યે જ વૈર કેળવવું છે ? મારી તમને સલાહ છે કે – એવાઓને ઝપાટે ચડી ધર્મને ન ભૂલશો. ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ ! ધર્મ ભૂલીને દેશની કે કશાની આબાદી કોઈ કરી શક્યું નથી, કરી શકતું નથી અને કરી શકશે પણ નહિ. દેવ-ગુરુ-ધર્મને આઘા મૂક્યા તો બરબાદ થશો અને ગાંડામાં ખપશો. પરમતારક શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું પાલન થાય એવી બધી જ પ્રવૃતિ કરો અને એ આજ્ઞાનો ઘાત થાય એવી પ્રવૃત્તિઓને છોડી ઘો! એ પરમતારકની આજ્ઞાના સેવમાં જ સ્વનું, પરનું અને સમસ્ત વિશ્વનું કલ્યાણ સમાયેલું છે.” ગાંધીજી વિરુદ્ધ પ્રચારકાર્ય ? ઉપરના પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ કરેલા ખુલાસામાં અનેક બાબતો તેઓ શ્રીમદે સ્પષ્ટ કરી છે. ધર્મદ્રોહીઓ એવી એવી અનેકવાર જુઠાણાંની જાળ બીછાવવામાં પણ આખરે ખુલ્લા પડી જાય છે. તેઓ રાક્કીય ચળવળનો બીજી રીતે પણ લાભ ઉઠાવે છે - ઉઠાવવા તરફડીયા મારે છે અને પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી - ગાંધીજીની નિંદા કરે છે' - એવું અસત્ય પ્રચારે છે. કોઈ પણ રાજકીય નેતાએ પોતાના તે વ્યક્તિત્વનો લાભ લઈને કોઈજધર્મને અંગે અશાનપણે ટીકા ન જ કરવી જોઈએ. છતાં ગાંધીજી તેથી અલિપ્ત રહ્યા નથી અને તેમણે અનેક વાર ધાર્મિક ચર્ચાઓમાં ભાગ લઈને તેમજ પોતાની માન્યતાના સમર્થનમાં ધર્મસિદ્ધાંતો વિષે ઉન્માર્ગગામી ચર્ચા કરીને, ધર્મ પુરુષોને તેનું ખંડન કરી ન્મતા સમક્ષ સત્ય સ્વરૂપ રજૂ કરવાનાં કારણો આપ્યાં છે. એમણે કરેલી અહિંસાની વ્યાખ્યા જૈન ધર્મની અહિંસાને બંધબેસતી નથી અને તેથી જ કૂતરાં ઉપરના ગોળીબાર પ્રસંગે, વાછરડાની કરવામાં આવેલી હત્યાના પ્રસંગે, વાંદરાઓને 38 ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy