SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ચલાવવાની અને ૨૫મા પ્રભુસમ પૂજાવાની જેમની દુર્લાલસા છે, તેઓ વારંવાર ધર્મપ્રવૃત્તિ ઉપર આક્રમણ કરે છે. આવા પ્રસંગે પૂ. પ્રવચનકાર મહાત્મા, પૂ. શ્રીસંઘના કર્તવ્યનું ભાન કરાવે છે અને એના યોગે ધર્માત્માઓ પોતાના ધર્મને સંરક્ષવા માટે પેલાઓની આપખુદ' અને આત્મનાશક સત્તાને આધીન ન થાય ત્યારે સહેજે ત્યાં બે વિભાગ પડી જ જાય છે. પણ એથી કાંઈ સત્યનો ઉપદેશ બંધ કરાય? નહિ જ બાકી ધર્મદ્રોહીઓ તો પ્રભુના વરઘોડામાં. ગુરુવારના સામૈયામાં અને ધર્મવ્યાખ્યાનમાં પણ ગુંડાશાહી બતાવવાનું ચૂક્યા નથી જને ? છતાં આજે ચોરી ને ઉપરથી શિરજોરી કરાય છે. પૂ. પ્રવચનકાર મહાત્મા તો ફરમાવે છે કે, “અમે જૈન સાધુ થયા તે પણ આગમના પ્રતાપે અને તમે શ્રાવક કહેવાઓ તે પણ આગમના પ્રતાપે; આગમના અભાવે ન હોય સાધુપણું કે ન હોય શ્રાવકપણું! માટે જે જે વિષયો ચર્ચાસ્પદ છે, તે તે વિષયોનો નિર્ણય આગમનાં પ્રમાણો દ્વારા જે આવે તે સ્વીકારવાનું સૌ કોઈ કબૂલે તો જૈન સમાજમાં વ્યાપી રહેલી આ અશાંતિ સહેજમાં દૂર થાય અને શાંતિ થતાં સૌ કોઈ જો ધર્મમાર્ગે પ્રગતિ કરવા માટે જ પ્રયત્નશીલ બને, તો પોતાના આત્માનું પણ કલ્યાણ સાધી શકે અને ઈતર તને પણ આ પ્રભુમાર્ગે દોરી શકે. બાકી જેઓ આગમને જ પ્રમાણભૂત માનવાને તૈયાર ન હોય, તેઓનું શ્રાવકપણે બીજી કોઈ જ રીતિએ સિદ્ધ થતું નથી અને તેવાઓના નામથી ઈતર જાત છેતરાઈ પ્રભુ ધર્મ સંબંધી ગેરસમજમાં દોરવાય નહિ તે માટે ઘટતા પ્રયત્ન કરવાની જરૂર છે. મારું તો માનવું છે કે, તેઓ જો સર્વજ્ઞ પ્રભુએ કહેલ આગમને પ્રમાણભૂત માને તો વગર સમાધાને સમાધાન થઈ જાય તેમ છે. કારણ કે, આપણી તો પૂ. આગમ ગ્રંથોને પંચાંગી સહિત પ્રમાણભૂત માનવાની પ્રતિજ્ઞા છે. એમાં જ આપણે તો સાધુપણું અને શ્રાવકપણે માનીએ છીએ.” આમ, ક્લેશ કરાવે છે, એ આરોપ પણ ટકી શકતો નથી. ક્લેશ તો તે કરાવે છે કે, જેઓ નિાજ્ઞાઓને ઉથલાવવા ઇચ્છે છે. બાકી જો ધર્મવિરોધીઓએ પૂ. આગમોની આજ્ઞા વિરુદ્ધ પગલાં ન ભર્યા હોત તો આજે જૈન સમાજઆવા પૂ. પ્રવચનકાર મહાત્માને પામીને નંદનવન સમો જ બન્યો હોત ને ? ગ્રંથ અને ગ્રંથકાર 29 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy