SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ન માને તો mલમાં માંદા થયેલ માતા-પિતાના ઔષધાદિ માટે જ્યામાં તે ભાવથી છોડ્યા કહેવાય નહીં, એવી રીતે માતા-પિતાના, પોતાના અને અન્ય ભવ્ય જીવોના ઉપકારને માટે દીક્ષા લેનાર પણ માતા-પિતાને છોડી દે તે ભાવથી છોડવું નથી. એટલા જ માટે, શોક, આહંદન કે વિલાપ કરે અથવા તે કુટુંબ દુઃખી થઈને જે કાંઈ કરે કે તે દીક્ષા લેનાર વિના જે કાંઈ અકાર્ય સેવે, તેનો દોષ દીક્ષા લેનારને લાગવો જોઈએ. “એવો પૂર્વ પક્ષ કરીને ઉત્તર પક્ષમાં પંચવસ્તુકારે પણ જણાવ્યું કે, “અભ્યપગમ માત્રથી તે વાત અલ્પ પીડા આદિથી પરિહાર કરતાં કહી છે. પણ વિધિએ કરાતો માતા-પિતાદિનો ત્યાગ દીક્ષા લેનારના દોષ માટે નથી. જેવી રીતે નિર્મળ ભાવે મરનારની પાછળ શોકાદિ થાય તો પણ મરનારને કોઈ પણ દોષ નથી, તેવી રીતે અહીં પણ જાણવું !' આ સંબંધમાં આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીએ દીક્ષા લીધી, ત્યારે મોહાધીન બનેલાં મદેવા માતા રુદન કરતાં કરતાં આંખ ગુમાવી બેઠાં છે; શ્રી નેમિનાથ સ્વામીએ શ્વસુરનગરને નાકેથી ભાવદયામય બનીને રથ પાછો વાળ્યો, ત્યારે તેઓનાં માતા-પિતાએ ઘણી ઘણી કાકલૂદીભરી વિજ્ઞપ્તિ કરી અને તેઓની ધર્મપત્ની રામતી મૂર્જીવશ થઈ, છતાં તેઓએ મક્કમ જરહી સંસારની અસારતા દર્શાવી દીક્ષા લીધી છે; શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દીક્ષા લીધી ત્યારે તેઓની પ્રિયા ખીણ ખીણ રોતી હતી અને ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માના માતા-પિતાના જીવનકાળ સુધી દીક્ષા નહિ લેવાના અભિગ્રહને શાસ્ત્રકારોએ મોહનીય કર્મનું કારણ દર્શાવ્યું છે અને જ્યારે તેઓએ પણ દીક્ષા લીધી, ત્યારે તેઓશ્રીના વડીલબંધુનંદીવર્ધને કરેલો દયાર્ટેક્નકવિલાપ, એ બધું વિચારાયો માતા-પિતાની ભક્તિને નામે દીક્ષાનો નિષેધ કરવા દ્વારા પૂ. પ્રવચનકાર મહાત્માને વગોવનારાઓની કુયુક્તિ એક ક્ષણવાર પણ ટકી શકે તેમ નથી. માતા-પિતાની ભક્તિના સંબંધમાં તો પૂ. પ્રવચનકાર મહાત્મા વારંવાર ઉપદેશ આપે છે અને સમજાવે છે કે, “શાસ્ત્રકારોએ માતા-પિતાના ઉપકારને દુષ્પતિકાર્ય કહેલ છે : જે સંતાન સંસારમાં રહેવા છતાંય એમની ભક્તિ-સેવા, આજ્ઞાધીનતા કરે નહિ, તે કુસંતાન છે. પરંતુ આજે તો યોગ્ય મર્યાદાઓનું ઉલ્લંઘન કરી સ્વેચ્છાચાર સેવનારાઓ, માતા-પિતાની અવગણના કરતાં કે પત્નીની ખાતર તેમનો ત્યાગ કરતાં ખચકાતા નથી. માતા-પિતાના ઉપકારનો બદલો શાસ્ત્રકાર કહે છે કે, “એમને ધર્મ પમાડવાથી જ ગ્રંથ અને ગ્રંથકાર | 27 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy