SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Ta૩ – ૧૩ : મૃતનું અવલંબન એ જ એક આધાર - 50 – ૨૦૫ થવાય. તે તે ભાવનાના યોગે તે તે સ્થિતિ બંધાય. અસ્તુ. પ્રત્યેક બુદ્ધ મહર્ષિ કોઈ નિમિત્ત પામીને વૈરાગ્ય પામે અને પછી દેવતા વેષ આપે, પણ તેઓ માથે ગુરુ ન કર્યા માટે શિષ્ય ન કરે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જેને માથે ગુરુ હોય તેને જ શિષ્ય કરવાનો અધિકાર છે. સ્વયમેવ બોધ પામેલાને જો અધિકાર હોય તો તો નગુરો પંથ ચાલે. સ્વયમેવ બોધ પામેલા તો બધું જાણે અને કહે, પણ એ જો શિષ્ય કરે તો એ કહે કે “અમારા ગુરુને ક્યાં ગુરુ હતા ?” – એમ થતાં એ વખત આવે કે, એમને માનનારા પણ વગર ગુરુએ દીક્ષા લેતા થાય અને નગુરો પંથ ચાલે. શ્રુતજ્ઞાન એ જ આધાર : શ્રી ભરત મહારાજા પણ ક્રમસર શાસનમાં આવ્યા છે. કયા આત્માને કયો અધિકાર, એ બધી શાસનમાં મર્યાદા છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં નિશ્ચય અને વ્યવહાર - એ ઉભયનું પાલન એકસરખી રીતે થવું જોઈએ. જે એવા વ્યવહારને ન માને તે તો શાસનનો વિચ્છેદ કરનાર છે. વ્યવહાર એટલે ઘર તથા પેઢી ચલાવવી એ નહિ, પણ અહીં તો ધર્મવ્યવહારની વાત છે. શ્રુતજ્ઞાની મુનિ શ્રુતજ્ઞાનીની દૃષ્ટિએ બેંતાલીસ દોષરહિત ભિક્ષા લાવે, એ જો કેવળજ્ઞાનની દૃષ્ટિએ દોષિત હોય તો પણ કેવળજ્ઞાની મહર્ષિ વાપરે અને કહે પણ નહિ કે દોષિત છે, કેમ કે દોષિત તો કેવળજ્ઞાનની દૃષ્ટિએ છે, પણ શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ તો તદ્દન નિર્દોષ છે. એટલે જો શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી શુદ્ધ ભિક્ષાને શ્રી કેવળજ્ઞાની મહર્ષિ દોષિત કહે, તો પછી શ્રુતજ્ઞાની ભિક્ષા લાવી જ ન શકે, કેમ કે એ મહર્ષિની દોષની શંકા રહ્યા જ કરે અને જો એમ થાય તો મુનિપણું ન ટકે અને શાસન પણ ન ટકે. શાસન એ શ્રુતના આધારે છે. ભગવાન શ્રીમહાવીરદેવ પછી કેવળજ્ઞાનનો સમય તો ત્રણ પાટ સુધી, - શ્રી જંબુસ્વામી સુધી : એટલે કે ચોસઠ વર્ષ સુધી જ. તે પછી તો ભગવાન શ્રી વીરનું શાસન તો એકવીસ હજાર વર્ષ ચાલવાનું છે, તો એ કોના આધારે ? આથી સ્પષ્ટ જ છે કે શ્રુતના આધારે જ શાસન ટકે છે. એટલે ભિક્ષાની પણ શુદ્ધિ-અશુદ્ધિ જોવાની તે શ્રુતજ્ઞાનના આધારે જ ! કેવળજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન બહુ ઉપકારી છે. કેવળજ્ઞાન તો કેવળ સ્વને પ્રકાશે, ત્યારે શ્રત એ સ્વપર ઉભયને પ્રકાશે. શ્રી કેવળજ્ઞાની મહર્ષિને પણ પોતે જાણેલી વસ્તુ અન્ય પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy