SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ rzi – ૧૩ : મૃતનું અવલંબન એ જ એક આધાર - 50 – ૧૯૯ પડી જ જાય. પણ “ઝેર કયાં ? બતાવ તો જ મૂકું નહિ તો પીવાનો જ’ – એવો આગ્રહ ત્યાં નહિ. અરે, ખાતરી થાય કે દૂધમાં ઝેર નથી, તો પણ ધરખે કદાચ - એમ માની એ દૂધ તો ન જ પીએ. ભલે એ અરધો શેર દૂધ નકામું જાય. પાપની વાતમાં એ જ રીતે સમ્યગ્દષ્ટિને તર્ક-વિતર્ક હોય જ નહિ. સમ્યગ્દષ્ટિનું આ સ્વરૂપ છે. એને પાપનો ભય છે. આ સ્વરૂપમાં જેટલો વાંધો તેટલો જૈનશાસનમાં રહેવામાં વાંધો. એથી જ આ સમ્યગ્દર્શન આજના ઉદ્ઘખલ અને વિલાસી જગતને નથી રૂચતું. સમ્યગ્દર્શન રૂપું, પ્રભુની આજ્ઞા રૂચી, એટલે પાપનાં પરિણામ પાતળાં થાય જ અને દરેક પ્રવૃત્તિમાં, મોજશોખમાં, રંગરાગમાં, તથા ખાનપાનની આસક્તિ વગેરેમાં જે આનંદના લહાવા લુંટાઈ રહ્યા છે તે લુંટાઈ જાય. સમ્યગ્દર્શનથી વિશિષ્ટ જ્ઞાન તે જ સાચું જ્ઞાન, તેવું ચારિત્ર તે જ સાચું ચારિત્ર અને તેવું તપ તે જ સાચું તપઃ એના વિનાનું જ્ઞાન તે જ્ઞાન નથી, ચારિત્ર તે ચારિત્ર નથી અને તપ તે તપ નથી. સભા : પ્રથમ અધ્યયનનું ‘શસ્ત્રપરિજ્ઞા' એવું નામ શાથી? પૃથ્વીકાય એ અપ્લાયનું શસ્ત્ર, અષ્કાય એ અગ્નિકાયનું શસ્ત્ર, અગ્નિકાય એ અપ્લાયનું શસ્ત્ર, - એમ પરસ્પર તે તે જીવો શસ્ત્રરૂપ છે. જેમાં શસ્ત્રનું પરિજ્ઞાન છે તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન. શસ્ત્ર એટલે હિંસા. અહીં શસ્ત્ર એટલે પેલાં હથિયારો નહિ. હિંસાથી બચવું તે અહિંસા અને એ માટે જ પૃથ્વીકાયાદિમાં જીવોની સાબિતી કરી તે જીવો પરસ્પર શસ્ત્રરૂપ થાય છે તે બતાવીને છકાયના વધથી દૂર રહેવું એમ કહ્યું. શસ્ત્રપરિણાથી અમુક જીવો અમુકનું શસ્ત્ર છે, એ બધું જાણી “અહિંસક' બનવા માટે “લોકવિજય' કરવો જોઈએ. અને એ માટે અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગમાં મક્કમ રહેવાની તાકાત કેળવવી જોઈએ. પ્રભુમાર્ગ ઉપર અવિચળ શ્રદ્ધા, એટલે કે જો સમ્યક્ત્વ હોય તો જ ત્યાં મક્કમ રહેવાય. સમ્યકત્વ થયા બાદ તે આત્મા આ લોકમાં સાર તરીકે ધર્મ સિવાય બીજી કોઈ પણ ચીજ દેખે નહિ. લોકમાં સારભૂત ધર્મ, ધર્મનો સાર જ્ઞાન, જ્ઞાનનો સાર સંયમ અને સંયમનો સાર નિર્વાણ. જે જ્ઞાન ધર્મનો સાર કહેવાય તે જ્ઞાન પામેલાને ધર્મ તરફ અરૂચિ કેમ જ હોય ? અને જે જ્ઞાન સંયમ કે સંયમ તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy