SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - રહ્યો. કાયમ મક્કમ રહેવા માટે પોતે પોતાના પગ પર કુહાડો માર્યો અને એથી જ શ્રી અભયકુમાર પણ ઘેરથી દોડી આવીને એને ભેટ્યો. ભેટીને કહ્યું કે “આવા સંયોગોમાં પણ દઢ રહેનારા તારા જેવો કોક જ! આનું નામ ગુણ અને આનું નામ ગુણાનુરાગ. શ્રી સર્વશદેવનાં વચનોમાં શ્રદ્ધા ન હોય તો અહિંસા તથા ધર્મમાં ટકાય નહિ. ગમે તેવા સંયોગોમાં કુટુંબની કે કોઈની પાપકારિણી આશા તો ન જ મનાય ? અને તો જ સાચા અહિંસક બનાય. હિંસાની પ્રેરણા કેટલી ? દરેક પ્રવૃત્તિ હિંસાની જ ને ? એટલે હિંસાની આજ્ઞા અને સલાહ તો ચાલુ જ છે : માટે આત્મા પોતાના નિશ્ચયમાં સ્થિર બને તો જ બચાય. જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા હોય, દઢતા હોય, માર્ગ પાળવામાં ચુસ્તતા હોય, તો જ “શસ્ત્રપરિસ્સામાં બતાવેલી અહિંસાનું બરાબર પાલન થઈ શકે. સમ્યત્વની તાકાત : સમ્યક્ત્વ આવ્યા બાદ એની દૃષ્ટિ કયાં ખેંચાય ? લોકમાં સારભૂત વસ્તુ કઈ છે તે જ એ જુએ. સમ્યગ્દષ્ટિ આત્મા અસાર મૂકે અને સાર લે: અસાર લેવું પડે તો પણ તે કંપતે હૃદયે જ છે, પણ લેવું જોઈએ એવી પુષ્ટિ તે ન કરે. સમ્યગ્દષ્ટિ એટલે સારગ્રાહી અને એથી તે આત્મા અસારથી બને તેટલો આઘો જ રહે. અસારમાં જવું પડે તો પણ એને અંતે ખોટું જ માને અને એને ખોટા તરીકે જ જાહેર કરે. સમ્યગ્દષ્ટિને એક ધર્મ જ સારભૂત દેખાય. ગ્રાહ્ય તરીકે ધર્મ સિવાય એની દૃષ્ટિ બીજે ન જ ખેંચાય. વિચારો કે આ દશામાં જીવન કેવું હોય ? એને અનીતિ-પ્રપંચ-પાપ ઓછું કરવાનું કહેવું પડે ? એને પાપને પાપ સમજાવવાની બહુ મહેનત કરવી પડે ? કોઈ જ્ઞાની એને “પાપ” કહે તો તે તરત જ ત્યાંથી પાછો હઠવા પ્રયત્ન કરે. એ વસ્તુમાં એ તર્ક-વિતર્ક ન કરે. શાની જ્યાં “પાપ” કહે ત્યાંથી એક વાર તો કલ્યાણકાંક્ષી આત્મા પાછો હઠે જ. હોઠ સુધી આવેલા દૂધના પ્યાલામાં ઝેર હોવાનું કોઈ કહે તો પ્યાલો આપોઆપ જ હાથમાંથી પડી જાય ને ? હેઠો મૂકવો પણ ન પડે, કારણ કે ઝેર પ્રાણનાશક છે એવી ખાતરી છે પણ પાપને માટે એવી ખાતરી નથી એને જ લઈને પાપપ્રવૃત્તિઓ વધતી જાય છે ને ? રખે ઝેરની સુગંધીથી પણ મરાય નહિ, - માટે પ્યાલો ભલે ફૂટે, જગ્યા ભલે બગડે તેની ચિંતા નહિ, પણ પ્યાલો હાથમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy