SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ તો આરંભ-સમારંભ વગેરેની વૃત્તિ ઊછળ્યા જ કરે. એથી જ સમ્યગ્દર્શનવાળા જ્ઞાનની જરૂર છે. અને જે આત્મામાં નિર્મળ સમ્યક્ત્વ આવે, તે આત્માને ઉત્તમ શું દેખાય ? એ જણાવવા પાંચમું અધ્યયન ‘લોકસાર’ નામનું કહ્યું છે, એ વાત ચોથા સાથે પાંચમાનો સંબંધ જોતાં સ્પષ્ટ થાય છે. ચોથા સાથે પાંચમા અધ્યયનનો સંબંધ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવે છે કે ૧૮૦ " इहानन्तराध्ययने सम्यक्त्वं प्रतिपादितं तदन्तर्गतं च ज्ञानं, तदुभयस्य च चारित्रफलत्वात् तस्यैव च प्रधानमोक्षाङ्गतया लोकसारत्वात् तत्प्रतिपादनार्थमिदमुपक्रम्यते । ” “આ શ્રી આચારાંગ સૂત્રમાં આની પૂર્વના એટલે કે ચોથા ‘સમ્યક્ત્વ’ નામના અધ્યયનમાં ‘સમ્યક્ત્વ’નું પ્રતિપાદન કર્યું, અને સમ્યજ્ઞાનનું પ્રતિપાદન તો સમ્યગ્દર્શનના પ્રતિપાદનમાં આવી જ ગયું. હવે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ બંનેયનું ફ્ળ ચારિત્ર હોવાથી અને તે ચારિત્ર મોક્ષનું પ્રધાન સાધન હોવાથી લોકમાં એ જ સારભૂત વસ્તુ છે : એ જ કારણે ચારિત્રનું પ્રતિપાદન કરવા માટે આ પાંચમા અધ્યયનનો ઉપક્રમ કરવામાં આવે છે.” આ ઉપરથી સ્પષ્ટપણે સમજવામાં આવી જશે કે સમ્યજ્ઞાન, એ સમ્યગ્દર્શનના પેટામાં જ સમાઈ જાય છે. અને એ બંનેના ફળ તરીકે ચારિત્ર જ છે. તેમ જ ચારિત્ર એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના ફળ તરીકે હોવાથી જ તે લોકમાં એક સારભૂત વસ્તુ છે. વધુમાં સારભૂત વસ્તુઓનું ભાન કરાવવા માટે શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા એક પ્રશ્ન કરતી અને એક ઉત્તર આપતી, - એમ બે નિર્યુક્તિની ગાથાઓ લખીને સમજાવે છે કે "लोगस्स उ को सारो ? तस्स य सारस्स को हवइ सारो ? | तस्य सारो सारं जड़ जाणसि पुच्छिओ साह । ।१ ।। " “ચૌદ રાજલોક સ્વરૂપ જે લોક, તેનો સાર કોણ ? તે લોકના સારરૂપ સારનો બીજો સાર કોણ ? અને તે લોકના સારના પણ સારને જો તું જાણે છે, તો મારાથી પુછાયેલો તું કહે.” આ પ્રકારે પ્રશ્ન કરી ઉત્તરમાં કહે છે કે : 708 "लोगस्स सारं धम्मो, धम्मं पि य नाणसारियं बिंति । नाणं संजमसारं, संजमसारं च निव्वाणं ।।२।। " “સઘળા પણ લોકનો સાર ધર્મ છે અને અનંત જ્ઞાનીએ ધર્મને પણ જ્ઞાનરૂપ સારવાળો, જ્ઞાનને સંયમરૂપ સારવાળું અને સંયમના સાર તરીકે નિર્વાણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy