SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 685 - - ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47– ૧૫૭ તો એનો અર્થ એક જ છે કે એવા સાધુને માત્ર પૂજા, ખ્યાતિ કે રોટલાની દરકાર છે, પણ તારક એવા મુનિપણાના ચિહ્નરૂપ ઘાની દરકાર નથી. હવે આ સંયોગોમાં આગમની કે આગમધરની સેવા ક્યારે થાય ? કહેવું જ પડશે કે હૃદયમાં આગમ કે આગમધરો વસે તો જ! પણ આટલા આટલા વિરોધથી હજી હૃદયમાં દુ:ખ પણ ન થતું હોય ત્યાં શું થાય ? આજે તો કોઈ જો કંઈ કરવા જાય તો માથાં ફૂટે અને આરોપી બનાય. મારે કોઈ. માર ખાય કોઈ. મારનાર ફરિયાદી અને માર ખાનાર આરોપી. કારણ કે આજના તોફાનીઓના તોફાનની તો ઢબ જ કોઈ જુદી છે જે માટે આ સ્થિતિમાં સેવા કરનારા પ્રભુશાસનના સાચા પ્રેમીઓ હોય તો જ ટકી શકાય તેમ છે. બાકી આજના તોફાનીઓ તો આગમ, આગમધરો અને આખા શાસનના વિરોધી બન્યા છે. એમનું જો ચાલે તો તેઓ આગમો અને આગમધરોનો નાશ કરવાની પેરવીમાં છે, પણ વાત એ છે કે એ પાપાત્માઓ ફાવી શકતા નથી. પૂર્વે જેમ મૂર્તિના વિરોધીઓથી મૂર્તિઓને ભોંયરામાં રાખવી પડતી હતી, તેમ આજના શાસનવિરોધીઓથી આગમને પણ આઘાં જ રાખવા પડે તેમ છે. જેઓ અત્યારથી જ આગમને બનાવટી તથા આગમધરોને સ્વાર્થી અને પ્રપંચી કહેવા લાગ્યા છે, તેઓ સમય આવ્યે બીજું પણ શું ન કરે ? જેના નામથી આત્મા પવિત્ર થાય તેને પણ સ્વાર્થી કહેનાર સાથે આપણને કેમ જ મેળ હોય ? આવી વાત બહાર આવે એટલે પદસ્થ હોય તે અગર મુનિ હોય તેણે એકવાર તો કહેવું જ જોઈએ કે “તમે ખોટા છો.” બાકી હશે ત્યારે હશે ત્યારે' એમ જ કહેનારા તો નખ્ખોદ જ વાળનારા છે. ભલા, એ તો વિચારો કે જે આગમને બનાવટી કહે, આગમધરને સ્વાર્થી કહે, તે વર્તમાનના સાધુ પાસે આવે પણ શું કામ? એક જ હેતુ કે એના નિમિત્તે શાસનને ધક્કો મારવા પોતાની વાતમાં સાક્ષી પુરાવવા માટે જ તેઓ આજના મુનિને પૂજે. જેઓ આજે વિરોધીઓની, પૂર્વાચાર્યોને નિંદનારાઓની પૂજાથી લલચાયા છે, તેઓને એક દિવસે જરૂર એ પાપ ડંખવાનું છે અને એથી દુઃખી થવાનું છે. અરે, હજી તો આ શાસનમાં એવા પણ કુલાંગારો પડ્યા છે, કે જે શ્રી મહાવીરદેવને સર્વજ્ઞ નથી માનતા. મુખે બોલતાં જરા અચકાય છે, પણ હૃદયથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy