SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 670 હિંસકો સાથે કે અસત્ય બોલનાર સાથે કદાચ મેળ રાખવો પડે તો રાખી શકાય : “કદાચ “ શબ્દ ધ્યાનમાં રાખજો હોં ! ચોરી કરનાર સાથે કદાચ વાત કરવી પડે તો કરી શકાય : બહુ વિષયાધીન સાથે કે બહુ પરિગ્રહ રાખનાર સાથે કદાચ સંબંધ રાખવો પડે તો રાખી શકાય : પણ હિંસામાં પુણ્ય કહેનાર સાથે તો પાણી પણ ન પીવાય. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન આદિ પાપસ્થાનોને પાપ ન માને, એટલું જ નહિ પણ પુણ્ય કહે, એની સાથે તો પાણી પણ કેમ જ પીવાય ? માત્ર જે પાપ કરે છે તે તો નિર્બળ, પણ જે પાપને સારું માને તે તો મહાભયંકર જ ગણાય. પાપને જે પાપ માને તે પરને હાનિ ન કરે, કારણ કે એને પૂછો તો એ પાપ કરવાની ના જ પાડે અને પોતે કહી દે કે “હું પાપી છું, કમજોર છું, પણ તું ન કર !” પણ જે પાપને પાપ જ ન માને, પાપને જ પુણ્ય માને, તે તો બીજાને પણ ત્યાં જ ઢસડશે અને ઘસડશે. પાપ કરે તે તો દુર્બળ, પણ પાપને પાપ ન માને, પુણ્ય માને અને તેવો ઉપદેશ કરે તે તો દુર્લભબોધી પણ થાય અને અનંત કાળ સુધી સંસારમાં રખડે. “દુર્લભબોધી' આત્માને ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. તમારે ત્યાં મહેમાન આવે તેનું તમે સન્માન ન કરો તો તેને બહુ દુઃખ નહિ થાય, પણ અપમાન કરો તો તો એ નિર્ણય જ કરે કે “કદી પણ આના ઓટલે પગ નહિ મૂકે !” તેમ જ ધર્મનું અપમાન કરો તો ભવાંતરમાં પણ એ નહિ મળે. પાપ કરનાર પાપ માને ત્યાં સુધી તો ઠીક પણ “એમાં શું ? અરે, અમુક એવો વખત છે એટલે એ જ ધર્મ !” – એમ કહે એને તો શાસ્ત્ર કહે છે કે “તું મહાપાપાત્મા, તને ક્ષણ પણ નહિ નિભાવાય.” આ કથનમાં કશું જ વિગ્રહરૂપ લાગે છે ? બાપ પોતાની પેઢીને બચાવવા દીકરાને સલાહ આપે કે નહિ ? હું પણ શાસ્ત્રષ્ટિએ સલાહ આપું છું કે બીજું કંઈ છે ? પાપને પાપ ન માનનારનો છાંયો ન લેવાની આ સલાહ છે. તમે તમારા છોકરાને કહો છો ને કે “જુઠાથી, વ્યભિચારીથી, જુગારીથી અને ચોરીથી દૂર રહેજે !” અને તે શા માટે કહો છો ? છોકરો કુલદીપક નીવડે તે માટે ને ? તેમ મારે પણ કહેવું જ પડે ને ! એમ પણ કહો છો ને કે “પેઢીએ આવતા ઉઠાઉગીર ગ્રાહકથી સાવધ રહેજે. એવાને પગલાંથી જ ઓળખજે. એના વચનથી જ એની પરીક્ષા કરવી ઘટે . પેઢી ચલાવનારે મુનીમ પણ ચોખા રાખવા પડે, કચરો કાઢનારને ભલે બે રૂપિયા પગાર વધારે આપવો પડે, પણ કચરામાંથી પાઈ જડે તો પણ માલિકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy