SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 665 - ૯ : જેનશાસનનો પાયો સમજ્જ ! - 46 – ૧૩૭ ‘મહાન મનાવનાર તથા પોતાની મહત્તામાં અટવાઈ જઈને “મહાવીરદેવ' કરતાં “મમત્વને વધુ મહત્ત્વ આપનાર એ કહે ત્યારે સમજવું જ જોઈએ કે એમ કહેવું એ એના માનલાલસાના દુર્ગુણને જ આભારી છે અને એ બિચારો આ પામેલાં પરમ કલ્યાણકર શાસનને પણ હારી જાય છે ને શાસનની વિરાધના કરી દુર્લભબોધી બને છે. એવી રીતે મૂર્ખાઓને અને અર્થકામના પિપાસુઓને રાજી કરવાની મહાપુરુષોની ભાવના હોય જ નહિ. ભગવાન શ્રી ગૌતમસ્વામી જેવાને પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા એ જ કહેતા કે “ક્ષણ પણ પ્રમાદ ન કરીશ.' છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કરનાર, દ્વાદશાંગીના સ્વયંપ્રણેતા, ચાર જ્ઞાનના ધરનાર, સંપૂર્ણ શ્રુતજ્ઞાની, હજારો આત્માને મુક્તિમાર્ગે લઈ જનાર, પચાસ હજારને માથે હાથ મૂકીને કેવળજ્ઞાન આપનાર, એવા શ્રી ગૌતમસ્વામીજીને પણ ભગવાન શ્રી મહાવીરદેવે એમ ન કહ્યું કે તારી ઇચ્છામાં આવે તેમ કર', પણ એમ જ ફરમાવ્યું કે “એક પણ સમય પ્રમાદ ન કર.' ખરેખર, કડવું આ ન કહે તો કહે કોણ ? તમે જેવા હો તેવા આ ન ઓળખાવે તો કોણ ઓળખાવે ? મૂર્ખ, આળસુ એમ કહી ધોલ, બાપ ન મારે તો કોણ મારે ? દુર્ગુણ ચાલવા કોણ છે ? જેને હિતની ચિંતા ન હોય તે જ ! કયો શિક્ષક છોકરાને હરાયા ઢોર જેવા બનાવે ? જેને પોતાના શિક્ષકપણાની કદર ન હોય તે ! વર્ષની આખરે આવતા પરિણામની જેને પરવા ન હોય તે ! એવા શિક્ષકો ડિસમિસ થયા. આગમ કે આગમધર કડવું ન કહે અને મીઠું જ કહે એ કેમ જ બને ? એ તમારો બચાવ પણ કરે અને આડા જાઓ તો કહે પણ, કેમ કે હિતેષી છે. તમે હિતેષી કોને કહો છો ? હિતેષી માતાપિતા છોકરાને કહે છે ને કે જુગારી સાથે ફરજે મા, વેશ્યાગમન કરનાર વ્યભિચારીઓની સોબત કરતો મા, જૂઠાથી દૂર રહેજે, ચોટ્ટાનો સંગ કરીશ નહિ, હિંસક લત્તામાં ન જજે.' હિતૈષી માતાપિતા આ બધું કહે જ ને ? હિતૈષી માતાપિતા આવું કહે, એથી પેલા બધા બદનક્ષી માંડે તો ચાલે ? ડાહી સરકાર એ અરજીને સ્વીકારે જ નહિ પણ રદ કરે : કારણ કે કુમાર્ગે જતા દીકરાને બચાવવા બાપને કહેવાનો હક્ક છે. આવું કહે તે જ સાચો બાપ છે, પણ ન કહે તે સાચો બાપ નથી જ : “ફલાણી પેઢીને ધીરતો નહિ, કેમ કે એ કાચી છે' - એમ તો કહો જ ને? છોકરાને આ બધું કહેવા છતાં એ ન માને અને નાશ થાય એવું કરે તો શું કરો ? એક વાર તો સામાન્ય ઠપકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy