SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - - - - 660 સંયમ તથા તપ છે અનુપમ, છે મુક્તિને આપનારાં, પણ એ ત્રણેની સ્થિતિ સમ્યકત્વને જ આભારી છે. સમ્યકત્વ પોલું હોય તો એ ત્રણને નષ્ટ થતાં વાર કેટલી ? જરા પણ નહિ. અહિંસક પ્રત્યે હિંસકોને પણ પ્રેમ આવે, સંયમીને આખી દુનિયા પૂજે, અને તપ કરનારને ભલભલા નમે, પણ અહિંસા, સંયમ અને તપ એ ત્રણે મહાગુણની સ્થિતિ સમ્યક્ત્વને જ આભારી છે ! સમ્યક્ત્વ ન હોય તો એ ત્રણે રદ છે. સમ્યકત્વ વિનાની અહિંસા એ વાસ્તવિક અહિંસા નથી, સંયમ એ સંયમ નથી અને તપ એ વાસ્તવિક તપ પણ નથી. એ કદી આ લોકમાં દુન્યવી માન અને પરલોકમાં સ્વર્ગ આપે, પણ તે પછી પરિણામ શું? સામાન્ય ફળને લઈને વળગી ન પડો. ‘પોદળો પડે તો એ પણ ધૂળ લઈને ઊઠે' - એ વ્યવહારમાં કહેવત છે તો તપ વગેરે કરે તેને સ્વર્ગાદિક ન મળે એ બને ? મળે જ, પણ તેથી વળ્યું શું? મળેલું સાર્થક થાય તો જ વળ્યું કહેવાય. કેટલીક વખત તો એ મળેલું પણ આત્માનો સામનો કરે, એટલે કે એ જ વસ્તુ આત્માને મૂંઝવી પરિણામે દુર્ગતિએ લઈ જાય : એ મળેલું જ સન્માર્ગે જતાં રોકે : આત્મા ઊલટો એનાથી જ લેપાય. શાસ્ત્ર કહે છે કે પુણ્ય સારું પણ એના વિપાક મહા ભૂંડા ! પુણ્યથી લલચાવું નહિ. પુણ્યયોગે ચીજ સારી મળે પણ એનો સદુપયોગ કોણ કરાવે ? ચીજ મળ્યા પછી શું? જેઓ પ્રભુમાર્ગ પામ્યા નથી, તેને લક્ષ્મીનું કરવું શું એની જ મૂંઝવણ છે. અમુક દેશમાં આજે ધનાઢ્ય ઘણા છે, પણ તેઓ પૂછે છે કે લક્ષ્મી વાપરવી ક્યાં ? તમે પુણ્યવાન એવા છો કે તમારી પાસે સદુપયોગના રસ્તા અનેક છે, પણ સ્થિતિ કઈ ? અમુક દેશ પાસે અમુક પ્રમાણમાં શરીરબળ, વાબળ, મનોબળ બધું છે, સામગ્રી ભરપૂર છે, એ બધું છતાં હારીને ચાલ્યા જવાનો સમય શાથી? પુણ્યની પાછળ જે જોઈએ તે નથી તેથી જ ! લક્ષ્મી મળે તેને ભોગવે કોણ ? સંતોષી કે લોભી ? લોભી તો મળેલાને ભોગવી પણ ન શકે, પૂરું ખાય પણ નહિ, તો દાન તો દે જ કયાંથી ? જ્યાં ભોગનાં સાંસાં ત્યાં દાનની વાત શી ? જેના યોગે લક્ષ્મી મળે એ પુણ્ય સારું ખરું, પણ પાછળની સારી કાર્યવાહી જડ્યું હોય તો ! મમ્મણ શેઠ પાસે ઘણી મિલકત હતી અને એથી કહેવાય છે કે એણે બનાવેલા બળદોનાં રત્નમય શીંગડાંમાં એક ખૂટતું શીંગડું પૂરું કરવા પૂરતું ધન પણ રાજા શ્રેણિકના ભંડારમાં નહોતું. એની મિલકત જોનારા મૂંઝાતા, પણ એ તો તેલ અને ચોળા જ ખાતો, મજૂરી દિવસ અને રાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy