SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ – – ૯ : જૈનશાસનનો પાયો સમ ! - 46 – ૧૨૭ “આ શ્રી આચારાંગસૂત્રના “શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનમાં અન્વય અને વ્યતિરેક દ્વારા છયે પ્રકારના જવનિકાયોનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર મહર્ષિએ ‘જીવ’ અને ‘અજીવ' આ બે પદાર્થોનું પ્રતિપાદન કર્યું અને તે જીવોના વધમાં બંધ થાય છે, માટે વિરતિનો સ્વીકાર કરવો જોઈએ, એમ ફરમાવતાં સૂત્રકાર મહર્ષિએ “આશ્રવ' અને “સંવર' આ બે પદાર્થોનું કથન કર્યું: ‘લોકવિજય” નામના બીજા અધ્યયનમાં “લોક જે રીતે બંધાય છે અને જે રીતે છૂટે છે' તે કહેતાં સૂત્રકાર પરમર્ષિએ “બંધ અને નિર્જરા' કહી તથા “શીતોષ્ણીય' નામના ત્રીજા અધ્યયનમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહો સહન કરવા યોગ્ય છે? - આ પ્રમાણે કહેતાં સૂત્રકાર મહર્ષિએ પરીષહ સહનના ફળરૂપ મોક્ષ કહ્યો. આ રીતે કહેવાથી ત્રણે અધ્યયન દ્વારા ૧૧. જીવ, ૨. અજીવ, ૩. આશ્રવ, ૪. સંવર ૫. બંધ, ૭.નિરા અને ૭. મોક્ષ' - આ સાત પદાર્થરૂપ તત્ત્વનું નિરૂપણ કર્યું અને આ તત્ત્વોના અર્થોનું શ્રદ્ધાન એ જ “સમ્યકત્વ' કહેવાય છે અને તેનું જ આ ચોથા અધ્યયનમાં પ્રતિપાદન કરવાનું છે.” આ રીતના સંબંધ કથનથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે ત્રણે અધ્યયન દ્વારા પ્રતિપાદન કરેલ જીવાદિ તત્ત્વોના અર્થની શ્રદ્ધા એ જ સમ્યકત્વ છે અને એ સમ્યકત્વ જ શ્રી જિનશાસનનું મૂળ છે. “જીવ કે અજીવના સ્વરૂપને સમજ્યા વિના આશ્રવ કે સંવરનું સ્વરૂપ સમજાતું જ નથી અને એ સમજાયા વિના બંધથી બચાતું નથી અને નિર્જરા કરી શકાતી નથી તથા બંધથી બચ્યા વિના અને આત્મા સાથે અનાદિથી લાગેલ કર્મોની નિર્જરા કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી' - આ વસ્તુસ્થિતિને યથાસ્થિતપણે સમજ્યા વિના ને સ્વીકાર્યા વિના અથવા તો તત્ત્વના જ્ઞાતા, જ્ઞાની ગુરુનું શરણું સ્વીકાર્યા વિના, સમ્યક્ત્વની પ્રાપ્તિ શક્ય જ નથી અને એની પ્રાપ્તિ વિના સાચું આસ્તિક્ય આવતું જ નથી. જેઓ આજે એમ કહે છે કે “અમે આત્મા, પુણ્ય, પાપ, વગેરે માનીએ છીએ અને એટલું કહેવા માત્રથી જ અમારામાં આસ્તિય આવી ગયું' - તેઓને આ શાસ્ત્ર ના કહે છે અને કહે છે કે જો સાચી રીતે માનો તો પ્રવૃત્તિમાં - તમારી પ્રવૃત્તિમાં ફેરફાર થવો જ જોઈએ. જો ચાલુ પ્રવૃત્તિમાં જરા પણ ફેર ન થાય, તો એ માન્યતા સાચી નથી. સમ્યગ્દર્શનમાં ક્રિયાની આવશ્યકતા જ નથી, એમ કહેનારા ભીંતની ભીંત જ ભૂલે છે : ભલે ત્યાં વિરતિની ક્રિયા ન હોય, પણ સમ્યગ્દર્શનને સ્પષ્ટ અને નિર્મળ કરનારી તથા વિરતિને ખેંચીને પણ આણનારી ક્રિયા ન હોય એ કેમ જ ચાલે? જો એ ન હોય તો સમ્યગ્દર્શન છે, તેની ખાતરી પણ શી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy