SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ : જૈનશાસનનો પાયો સમ્યક્ત્વ ! તત્ત્વના જ્ઞાનની અને શ્રદ્ધાની શી જરૂર ? આ શ્રી આચારાંગસૂત્ર, એ શ્રી દ્વાદશાંગીનું સૌથી પ્રથમ અંગસૂત્ર છે અને તેનાં ‘શસ્ત્રપરિજ્ઞા’ આદિ નવ અધ્યયનો છે. એ નવે અધ્યયનોમાં કયો કયો અર્થાધિકાર છે, એ પણ આપણે જોઈ ગયા અને તે પછી આપણે એ પણ જોઈ ગયા કે ‘પ્રથમ અધ્યયનમાં સામાન્ય રીતે જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યા પછી, વિશેષ પ્રકારે ‘પૃથ્વીકાય' આદિ જીવોના અસ્તિત્વને સિદ્ધ કરી, એમ ફરમાવ્યું છે કે તે જીવોના વધથી આત્માને કર્મનો બંધ થાય છે, માટે મોક્ષના અર્થી આત્માએ થતા બંધથી બચવું હોય તો ‘વિરતિ’ ધર્મનો સ્વીકાર કરવો જ જોઈએ. વિરતિધર્મનો સ્વીકાર કરી બંધથી બચવા માટે સજ્જ થયેલા આત્માએ ‘રાગાદિ કષાયલોક’નો અને શબ્દાદિ વિષયલોકનો વિજય કરવો એ આવશ્યક છે : એ માટે ‘શસ્ત્રપરિજ્ઞા' પછી ‘લોકવિજય' નામનું અધ્યયન કહેવામાં આવ્યું છે. આ પછી જે આવાં ‘શસ્ત્રપરિજ્ઞા'માં કહેલાં મહાવ્રતોથી પ્રાણીમાત્રનો રક્ષક બની ‘લોકવિજય' નામના અધ્યયનમાં પ્રસિદ્ધ એવા સંયમમાં વ્યવસ્થિત અને કષાયાદિ લોકનો વિજેતા થઈ મુમુક્ષુ બન્યો છે, તે આત્માને પણ કોઈ કોઈ વખત અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો ઉત્પન્ન થાય : તે ઉપસર્ગોને તે આત્માએ સમ્યક્ પ્રકારે સહન કરવા જોઈએ, - એમ સમજાવવા ત્રીજા ‘શીતોષ્ણીય ’ નામના અધ્યયનની રચના છે.' હવે આ ચોથા અધ્યયનનો સંબંધ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે “इह शस्त्रपरिज्ञायामन्वयव्यतिरेकाभ्यां षड्जीवनिकायान् व्युत्पादयता जीवाजीवपदार्थद्वयं व्युत्पादितं, तद्वधे च बन्धं विरतिं च भणताऽऽस्त्रवसंवरपदार्थद्वयमूचे, तथा लोकविजयाध्ययने लोको यथा बध्यते यथा च मुच्यत इति वदता बन्धनिर्जरे गदिते, शीतोष्णीयाध्ययने तु शीतोष्णरूपाः परीषहाः सोढव्या इति भणता तत्फललक्षणो मोक्षोऽभिहितः, य ततश्चाध्ययनत्रयेण सप्तपदार्थात्मकं तत्त्वमभिहितं तत्त्वार्थश्रद्धानं च सम्यक्त्वमुच्यते तदधुना प्रतिपाद्यते.' Jain Education International For Private & Personal Use Only " www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy