SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ A1 ––– ૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે :- 45 - ૧૧૯ કરતા એની જ આ પંચાત છે. આ બધી તો હૈયામાં ઊતરે તેવી વાતો છે. આ સમજાવવાની મહેનત હોય ? જમીન એવી ખરાબ થઈ ગઈ છે કે કચરો ઉખેડતાં પાર ન આવે. સત્યની જિજ્ઞાસા કરતાં પોતે માનેલું કહેનાર મળે એ ઇચ્છા વધારે દેખાય છે : પોતાના વિચારને પુષ્ટિ ક્યાંથી મળે એ જ આજે શોધાય છે ? આથી જ હૈયામાં સત્ય ઊતરી શકતું નથી - સત્યના અનુભવો પણ અસર નથી નિપજાવી શકતા. તેથી અનુભવોને છુપાવીને પણ પાપ તરફ ધસ્યા જવાય છે. શરીરની રક્ષા હોય કે સેવા હોય? શરીર પોતાનું નથી એ કોણ નથી જાણતું? નાસ્તિકને છોડી દો, શરીરથી આત્માને જુદો માને તેની આ વાત છે. શરીર તથા આત્માને એક જ માને અથવા આત્માને ન માને એ આસ્તિક કે નાસ્તિક ? શરીરની જ સેવા કરવાની પ્રવૃત્તિને આનંદપૂર્વક ધર્મ માનીને ઉત્તેજન આપે, એ આસ્તિક કે નાસ્તિક ? જે શરીરની સેવામાં જ કલ્યાણ માને, એની સેવાની પ્રવૃત્તિને ધર્મબુદ્ધિથી રસપૂર્વક ઉત્તેજન આપે, એની પીઠ થાબડે, તેનું નામ નાસ્તિક અને એવાઓ જો તારકના લેબાશમાં ફરતા હોય તો પરમ નાસ્તિક. શરીર તથા આત્મા જુદા માને તેને માટે આ બધી વાત છે. આત્મકલ્યાણના સાધન તરીકે શરીરની રક્ષા હોય, પણ રસપૂર્વકની સેવા હોય? શરીર સેવ્ય કે રક્ષણીય? એ રક્ષણીય છે. પણ સેવ્ય નથી મુક્તિના માર્ગમાં સહાયકો માટે રક્ષણીય - મુક્તિમાર્ગમાં સહાયક ન થાય તો તો તેવું પણ નથી. શરીરથી આત્માને જુદો માનનાર આત્મા શરીરને મારું માને ? જે શરીરને છોડી જવાનું છે, એને માટે ભયંકર ધમાચકડી કરવી એ શું વાજબી છે ? જે સારાં કાર્યોમાં ફાળો ન આપી શકે તે શરીરની રક્ષા પણ ન હોય, તો સેવાની તો વાત જ શી ? રક્ષા પણ મુક્તિમાર્ગમાં સહાયક થાય તે માટે કરવાની છે. કહે છે કે “અમે આત્મા, પુણ્ય પાપ, વગેરે માનીએ છીએ માટે આસ્તિક કહો.” મોઢેથી “માનીએ છીએ” - એમ કહેવા માત્રથી આસ્તિક કહેવરાવવું છે? તમને આસ્તિક કહ્યા, પણ એમાં કાંઈ વળ્યું ? મોંથી પણ કહો છો એનું કારણ ખંડન કરવાની તાકાત નથી એ જ છે કે કાંઈ બીજું ? વારુ, આત્માને શરીરથી જુદો માનનાર અને પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, - આ બધાં તત્ત્વોને માનનારની પ્રવૃત્તિ કેવી હોય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy