SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 801 – ૫ શ્રા જનશાસનના ઉજવળ મયાદાઆ -42 - ૭૩ છે કે “ઇચ્છાને દબાવાય નહિ.' એમ કહેનારને પૂછો કે નાના બાળકને જે તે ખાવાપીવાની, કજિયા કરવાની, સાપને પકડવાની, અંગારામાં હાથ નાખવાની, મોંમાં ધૂળ-માટી-કોલસા નાખવા વગેરેની ઇચ્છા થાય છે, તો શું એ બધું બાળકને માતા કરવા દે ખરી ? અને કરવા દે તો એ માતા ખરી ?” તેમણે પણ કહેવું જ પડશે કે નહિ જ. અરે, ઉપરથી એવું કહેવું પડશે કે અરે, માતા તો એવી ચોકીદાર બને કે બાળક માટી મોંમાં ઘાલે તો મોંમાં આંગળાં નાખીને પણ માટી કાઢે. વારુ, અઢાર વર્ષના છોકરાને ઇચ્છા મુજબ વર્તવા દેવા, એમાં તો કબૂલ છો ને ? વ્યવહારની વાતમાં પણ કબૂલ છો ? સભા : અરે સાહેબ, વંઠી જાય, સોળથી પચ્ચીસ વર્ષની વય તો ગધ્ધાપચીસી કહેવાય. ત્યારે ત્યાં પણ તમે અંકુશ માન્યો. વારુ, પચીસ વર્ષ પછી ? પછી પણ અંકુશ તો ચાલુ જ છે અને ચાલુ હશે તો જ વ્યવહારમાં નભાશે. લેjદેવું, ખાતાવહી, ચોપડા, ખાવું- ખવરાવવું, આ બધા અંકુશથી તો ઘર અને પેઢીઓ નભે છે. સ્વતંત્રતાની વાતો કરનારા ઘરમાં અને બજારમાં સ્વતંત્ર રીતે વર્તતા હોય તો તો ખબર પડે. જો ત્યાં એમ વર્તે તો તો ચોથે દિવસે કોઈ પેઢી પર પગ મૂકવા ન દે. સોદામાં ખોટ આવે તો “મેં તો નફો ધારીને કામ કર્યું હતું, માટે ખોટ નહિ આપું” એમ કહેવાશે ? નહિ જ, કારણ કે ત્યાં તો કાયદો જ છે કે સોદો કર્યો એટલે નફો હોય તો નફો લઈ જાઓ અને ખોટ હોય તો ખોટ આપી જાઓ ! એ અંકુશ, એ મર્યાદા ! અરે, ઘરમાં પણ બધાના માટે કરેલી રસોઈ ખાવી પડે છે. પચીસ માણસના કુટુંબમાં જો દરેકની વૃત્તિ જુદી જુદી હોય તો નભે જ નહિ. મોટા ઘરના ખર્ચ એ મર્યાદાથી જ નભે છે. જ્યાંથી મર્યાદા ખસી અને સ્વતંત્રતા - કહોને સ્વચ્છંદતા - આવી, ત્યાં ભિખારી વૃત્તિ આવે અને પાયમાલી પણ ચાલી જ આવે. વ્યવહારમાં પણ આ સ્થિતિ, તો પછી શ્રી જિનેશ્વરદેવના શાસનની મર્યાદા માટે તો પૂછવું જ શું? પુસ્તક વાંચનારે અને સાંભળનારે મર્યાદાને વળગીને જ રહેવું જોઈએ. સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિધર અને સર્વવિરતિધર આત્મા જો મર્યાદાને ને વળગી રહે, તો પ્રભુના શાસનમાં ચિરસમય ટકી શકતો જ નથી. ચિંતામણિ રત્ન પણ કોને ફળે ? અઠ્ઠમનો તપ કરી તેની આરાધના કરે, એનું સ્વરૂપ ઓળખે, યોગ્ય રીતે એનું સેવન, શુશ્રુષા કરે એને ! અનાજ પણ કાચું ફોકો તો પુષ્ટિ આપે ? કેટલી કાર્યવાહી થયા બાદ એ પાચક તથા પોષક બને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy