SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – - 598 ભૂલ લાગી અને તરત સ્થાન પર આવી. છતાં પણ તે કુલીને ! તને આ યોગ્ય નહિ આવું શ્રી ચંદનબાલા સાધ્વીએ કહ્યું. આ મર્યાદા ! આની સામે શ્રી મૃગાવતીજીએ એક પણ દલીલ ન કરી. એક પણ બચાવ ન કર્યો, એમ પણ ન બોલી કે “ભગવાનના સમવસરણમાં શું વાંધો ? અને તે પણ ક્યાં ઇરાદાપૂર્વક બેઠી છું?' આનું નામ મર્યાદા. આ મર્યાદા ગમે કોને ? જેને ભગવાનના માર્ગ પ્રત્યે શ્રદ્ધા હોય તેને જ ભગવાનની આજ્ઞામાં મુક્તિ માનનારને જ ગમે. પણ બીજાને નહિ. જેટલા અંશે શ્રી તીર્થંકરદેવોએ દર્શાવેલી મર્યાદા તૂટી, તેટલા અંશે આત્માનો નાશ થયો, થાય છે અને થશે. સમ્યગ્દષ્ટિએ શ્રી જિનેશ્વરદેવે બાંધેલી મર્યાદા સામે ઊંચી આંખે જોવાનું નથી, પણ નીચી મૂંડીએ તે સ્વીકારી જ લેવાની છે. રાજ્યની મર્યાદા પણ કેવી હોય છે?મોટા અમલદાર પાસે કેમ જવાય ? એના પટાવાળા પાસે પણ વાત શી રીતે થાય ? ત્યાં મર્યાદા છોડો તો ? સમજો છો કે ત્યાં તેમ કરવામાં ધક્કા ખાવા પડે. પણ ત્યાં તો એક ધક્કે કદાચ પતે, પણ અહીંના ધક્કા તો એવા પડશે કે ચોમેર દુઃખ ને દુઃખની ઝડી વરસશે. જેમ સ્થાન ઊંચું, તેમ મર્યાદા ઊંચી, ધ્યેય સાચવનારથી મર્યાદા ન જ છોડાય. મર્યાદાના કારણે રાજતંત્ર ટકે છે. એની બધી ખૂબી, કાર્યવાહી, યોજના એવી કે ત્યાં સ્થાન જ જોવાય. એ સ્થાન પર આદમી ગમે તેવો હોય, પણ એ સ્થાન પાસે મોટામાં મોટો પણ ઊભો રહે. કોર્ટમાં બે હજાર રોજના કમાનાર ધારાશાસ્ત્રી કરતાં પણ સો રૂપિયાના પગારદાર મેજિસ્ટ્રેટનું સ્થાન ઊંચું છે. એકવાર ધારે તો એ મેજિસ્ટ્રેટ પેલા ધારાશાસ્ત્રીને કોર્ટમાંથી ચાલ્યા જવાનું કહે. જો એ હુકમ એને અયોગ્ય લાગે તો, પછી ભલે બહાર જઈ એ અપીલ કરે, પણ તે વખતે તો તે ધારાશાસ્ત્રીએ બહાર નીકળવું જ પડે. આનું નામ મર્યાદા. ત્યાં એ મેજિસ્ટ્રેટને પેલા ધારાશાસ્ત્રીએ પણ “નામદાર' કહેવા જ પડે. ત્યાં એ મૅજિસ્ટ્રેટ પાંચનો દંડ કરે તો ભરી આપવો જ પડે. ત્યાં પોલીસ કોનો હુકમ માને ? જો પેલો બે હજાર રોજના કમાનાર ધારાશાસ્ત્રી પણ આડાઈ કરે, તો પોલીસ હાથકડી પણ કરે. ધારાશાસ્ત્રી ગમે તેવો હોય, પણ તે કોર્ટના કમ્પાઉન્ડમાં તો મેજિસ્ટ્રેટનું જ સ્થાન ઊંચું છે. આનું નામ મર્યાદા અને આ મર્યાદાથી આખું રાજતંત્ર ચાલે છે. ગમે તેટલાં તોફાની વાદળો વચ્ચે અને ચોર-લૂંટારા વગેરે હયાત છતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy