SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 55. -- ૪ : આગમનો સાર શું? - 41 -- - પ૭ અને જાય તો મૂચ્છિત પણ થાય નહિ. અને પેલો મિથ્યાદૃષ્ટિ આવે તો પગ પછાડે અને જાય તો માથું ફોડે! આખી દ્વારિકા સળગી, બચાવવાને માટે એમણે પ્રયત્ન થાય તેટલો કર્યો પણ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ શ્રી કૃષ્ણ મહારાજાના આત્માએ આખરે વિચાર્યું શું ? એ જ કે “ભગવાનનું વચન અસત્ય ન જ થાય.” સમ્યગ્દષ્ટિ સુખ આવે તો પણ મૂંઝાય નહિ અને જાય તોયે મૂંઝાય નહિ. પરિવાર વધે કે ઘટે તોય એને કાંઈ ન થાય. બેય વખતે સમાન. સમ્યગ્દષ્ટિ આનંદ કે શોકનો અતિરેક કરે જ નહિ. એ જાણે છે કે “એવા પ્રસંગે આયુષ્ય બંધાઈ જાય તો ઘણું જ અનિષ્ટ થાય !” અશુભ તથા શુભના યોગો ગમે એટલા આવે પણ એકમાં ન ભળવું. શ્રી તીર્થંકરદેવને ઉપસર્ગ કરનારાએ ઉપસર્ગ કર્યા અને ભક્તિ કરનારાએ ભક્તિ કરી, પણ એ તો બેયમાં સમાન. શ્રી તીર્થંકરદેવને ન આવે રોષ કે ન આવે તોષ. જો રાગ-દ્વેષ આવે, તો કેવળજ્ઞાન પણ કેમ થાય ? દેવો મરીને દેવ ન થાય તેનું કારણ? દેવોને પુદ્ગલની આધીનતા એટલી બધી છે, પુદ્ગલના સુખમાં એ એટલા લીન છે કે ન પૂછો વાત. અને ત્યાં પણ દેવગતિને યોગ્ય બંધની સામગ્રી ન હોવાથી, ફરી દેવ આયુષ્ય બાંધે એવાં એનાં પરિણામ થતાં નથી. દેવો શ્રી તીર્થકરની ભક્તિ કરવા જાય, ત્યાં પણ એ મૂળરૂપે તો પોતાના સ્થાને જ રહે. જ્યારે મનુષ્ય તો ઘરબાર વગેરે તેમજ કુટુંબ આદિને તજીને પૂજા કરવા જઈ શકે છે. શાસ્ત્ર કહ્યું કે બાહ્યધૂનન વિના આંતરધૂનન થાય નહિ. જ્ઞાની કહે છે કે વિષયની સામગ્રીથી દૂર રહો તો વાસના તો આપોઆપ મરી જશે. જો કે આંતરશુદ્ધિ વિના બાહ્ય વસ્તુ બરાબર ફળતી નથી, પણ બાહ્યશુદ્ધિ વિના આંતરશુદ્ધિ થતી જ નથી. ધૂનન પણ સૌથી પહેલું સ્વજનનું કહ્યું. સ્વજન છૂટે તો બધું આવે. એ છૂટે તો આત્મકલ્યાણ થવા માંડે. શાસ્ત્ર કહે છે કે અયોગ્ય ભાવનાવાળા ન થવું હોય, તો અયોગ્ય સંસર્ગથી દૂર રહેજો. કોઈ કહે કે “અયોગ્યમાં રહી બચવા માગીએ છીએ' તો માનવું કે તે દંભ છે. ઊલટી એ તો અયોગ્યમાં રહેવાની સારી વસ્તુના નામે છૂટ માગે છે. કોઈ એમ કહે કે “મન સારું છે તો અયોગ્ય સંસર્ગમાં રહેવામાં વાંધો શો ?” તો કહેજો કે જેનું મન સારું તે એવા અયોગ્ય સંસર્ગમાં રહે શું કામ ? એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy