SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ લૂખી થાય, લૂલી થાય અને પરિણામે ઘટે. ભલે “આ દીક્ષા' આ ભવમાં હાથમાં ન આવે, પણ ભવાંતરમાં તો આવે ? ભવાંતરમાં હાથ આવે તે માટે પણ આ ભવમાં કાંઈ તો કરવું જ પડશેને ! આ વિચાર કરો તો પોતપોતાના હૃદયનું માપ કાઢી શકો. હૃદયમાં કયો રંગ છે તે પરખાય. સંસારનો રંગ બેઠો હોય તો સમજવું કે, સમ્યગ્દર્શનમાં શ્રી જિનેશ્વરદેવના વચન પ્રતિની શ્રદ્ધામાં હજી ખામી છે. આટલું મનાય તો આ વસ્તુ પરિણામ પામે. નારકીને દુઃખ કેટલું અને તે ફરી નારકી કેમ ન થાય? નારકીના દુઃખની તો વાત જ જવા દો. એક નારકીના જ જીવો એવા છે, કે જેઓને મરવાની જ ભાવના થાય. બીજી ત્રણ ગતિના આયુષ્યને પુણ્યપ્રકૃતિમાં ગણ્યાં છે, જ્યારે નરક ગતિના આયુષ્યને પાપપ્રકૃતિ કહી છે. ત્યાં તો ભયંકર ત્રાસ અને આયુષ્ય પણ નિરૂપકમ. માટે જ કહું છું કે બંધ પહેલાં વિચાર કરો. શ્રી શ્રેણિક મહારાજાને આયુષ્યનો બંધ થયો છે, ભગવાન પાસે એમણે ઉપાય પણ પૂક્યો છે, પણ ભગવાને કહ્યું કે એક વાર તો જવું પડશે, ભોગવવું પડશે. હાલની આરાધનાનું ફળ મળશે, પણ પછી. પહેલાં તો બાંધ્યું તે ભોગવવું પડશે. નરકનાં માનસિક, વાચિક તથા કાયિક દુઃખોની વાત જ ન પૂછો. ત્યાંનાં દુઃખોનો કંઈ પાર છે ? સારું ધારે તોયે ખરાબ થાય. ત્યાંનું સ્થાન, દેખાવ વગેરે સઘળું જ ભયંકર, આવાં ભયંકર દુઃખોમાં પડેલા આત્માઓને ત્યાં પશ્ચાત્તાપ પણ થાય, પણ શું કરે ? અશુભનો વિપાક ભોગવ્યા વિના કાંઈ છૂટકો ઓછો જ છે ? ત્યાં કેવળ ભોગવવાનું જ માટે. અને નરક યોગ્ય બંધ નહિ હોવાથી નારક મરીને નારકી થઈ શકે નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા પણ ત્યાં બૂમો ન જ પાડે એવું નહિ પણ સમ્યકત્વના પ્રભાવે કર્મસ્થિતિ સમજે અને એટલે અંશે એને શાંતિ અનુભવાય. ક્ષેત્રપીડા, દેવ - પરમાધામી કૃત પીડા, એ બધી પીડા તો એને પણ હોય, પણ પોતાનો આત્મા કાબૂમાં હોય માટે શાંતિ માને. મનથી માને કે બાંધ્યું તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. બે સરખી સ્થિતિના ગૃહસ્થ હોય, બેયની વિષમ સ્થિતિ આવી. એક જે સમ્યગ્દષ્ટિ હોય તેને ન લાગે અને બીજો માથું કૂટે. લક્ષ્મી જાય ત્યાંયે સમ્યગ્દષ્ટિ માને કે શુભોદય ભોગવાઈ ગયો, પીડા ગઈ અને સાચવવી મટી, ત્યારે પેલો બીજો વસ્તુને નહિ જાણનારો માથાં ફૂટે. સમ્યગ્દષ્ટિ લક્ષ્મી આવે તો નાચે નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy