SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કas ૩ઃ એ સડાને દૂર કરો ! - 40 – – ૪૧ હા. સમ્યત્વની પ્રાપ્તિ વિનાના બધા જ પહેલા ગુણસ્થાનકે. ત્યાં પણ ઊંચા-નીચાના ભેદ પડે. કોઈ ઘોર મિથ્યાષ્ટિ, તો કોઈ સામાન્ય મિથ્યાદૃષ્ટિ ! મિથ્યાત્વ' ગુણસ્થાનકે રહેલા છતાં પણ, ભદ્રિકતાદિ ગુણોના યોગે માર્ગાનુસારી આત્માઓ પણ સંસાર પ્રત્યે બહુમાનવાળા નથી હોતા. બીમારને જેમ અનાજની રુચિ ન હોય, પરંતુ ન છૂટકે છે, એ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને સંસાર પ્રત્યે રુચિ ન હોય. રોજ એ સ્થિતિ માટે આત્માને પૂછો ! માર્ગાનુસારી આત્મા પણ જ્યાં જ્યાં ત્યાગ જુએ, ત્યાં ત્યાં એની રોમરાજી વિકસ્વર થાય. ત્યાગીને તે હાથ જોડે અને ઇચ્છે કે “એ દશા કયારે આવે ?” ધર્મો અને અધર્મી બેય હજી સ્થાન પર છે. જેમાં ધર્મ નથી તે અધર્મી – એ દૃષ્ટિએ અધર્મી માત્ર દયાપાત્ર છે, પણ એ ધર્મ તરફ લાલ આંખ કરતો નથી, ડોળા કાઢતો નથી, માત્ર ધર્મ પામ્યો નથી એટલું જ ! ધર્મીને ધર્મ મળ્યો છે માટે એ ભક્તિપાત્ર અને કમનસીબીને લઈને અધર્મીને ધર્મ મળ્યો નથી, માટેએ દયાપાત્ર ! પણ ત્રીજો વિરોધી તો આંખો કાઢનારો, એટલે એની તો ગણના જ નહિ. એક માણસ કોઈનું બહુમાન કરે, ગાદીએ બેસાડે, માનસન્માન કરે, આગતાસ્વાગતા કરે, તો ત્યાં પ્રેમ થાય, આનંદ થાય. બીજો એક માણસ બોલાવે પણ નહિ, તોય થાય કે “કાંઈ નહિ.” પણ એક એવો કે એને ઓટલે પગ મૂકો કે ગાળ દ, દાંતિયા કરે, તો આવનારને ભાવના કઈ થાય ? તે વખતે ધર્મીને પણ થાય કે “બિચારો પાપાત્મા છે પાપના યોગે આ કંગાલિયત પામ્યો છે અને આવી કાર્યવાહીથી વધુ ને વધુ પાપનો ભાર સંઘરતો જાય છે. ધર્મી ત્યાં પોતાના ધર્મ ખાતર સહનશીલતા રાખે, ત્યારે કેટલાક સંસારીઓ અશક્તિથી અથવા તો પોતાની આબરૂને બટ્ટો ન લાગે માટે સહન કરે, અને કહે કે અમે જાતવાન છીએ માટે આટલું સહ્યું પણ અવસરે બતાવશું.” દુનિયામાં આ ભાવના આવે છે. એવી અહીં ધર્મ માટે આવે તો ધર્મના રક્ષક બની શકશો, નહિ તો ખામી આવવાની. ધર્મીએ આટલી વસ્તુ સમજવી જ જોઈએ. પેઢી ચલાવવી હોય તે વેપારીએ, પેઢી ઉપર આવનારાઓને ઓળખવા જોઈએ અને સહુ સાથે ઘટતો વર્તાવ રાખવો જોઈએ. ગાદી લાયક ગાદીએ બેસે, સામે બેસવા લાયક તેમ બેસે, ને ઊભા રહેવા લાયક ઊભો રહે તે પેઢી ચાલે. મુનીમ ગમે તેવો સારો હોય, બહુ જ હોશિયાર હોય, ભલે બારે મહિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy