SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 1 વિચારોને અંતે તેઓએ નિર્ણત કર્યું કે અન્ય કોઈ નથી, પણ સકળ દોષરહિત અને સર્વગુણસંપન્ન એવા છેલ્લા તીર્થપતિ છે.” આ રીતે તે મહાપુરુષે નિર્ધાર કરી લીધો. બસ, “અરિહંત છે.—એવી ખાતરી થઈ અને પરિણામે શિષ્યત્વ સ્વીકાર્યું; તેમ જ સ્વીકાર્યું છે એવું સ્વીકાર્યું, કે તે પછી કદી પણ સામે મસ્તક ઊંચું નથી કર્યું : સર્વસ્વ એ તારકના ચરણે જ ધરી દીધું અને એ જ પોતાનો એક આદર્શ બનાવ્યો કે “તમેવ સંઘે નિટ્સ નિહિં પર્ફ" “તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેવોએ પ્રવેછું” તે પુણ્યપુરુષોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ શ્રી તીર્થંકરદેવના કથનને ઝીલવામાં અને ગુંથવામાં કર્યો છે. પ્રભુના કથન દ્વારા વસ્તુને વસ્તુરૂપે સમજી, તે સમજેલી વસ્તુને જ શ્રીસંઘ માટે દ્વાદશાંગીમાં ગૂંથી છે. આ વસ્તુને વર્ણવતાં શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી કહે છે કે : "तव-नियम-नाणरुक्खं, आरुढो केवली अमियनाणी । तो मुयई नाणवुट्टि, भवियजणविबोहणट्ठाए ।।१।। तं बुद्विमयेण पडेण, गणहरा गिहिउं निरवसेसं । સ્થિરમાસિયા, શંતિ તો પવન છે રા” “તપ, નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થઈને અમિતજ્ઞાની શ્રી કેવળજ્ઞાની ભગવાન, ભવ્ય જીવોના બોધ માટે જ્ઞાનરૂપ પુષ્પોની વૃષ્ટિને કરે છે ? તેને સંપૂર્ણ બુદ્ધિમય પટ્ટ દ્વારા સંપૂર્ણ ગ્રહણ કરીને, શ્રી ગણધરદેવો તે શ્રી તીર્થંકરદેવના કથનરૂપ પુષ્પોને પ્રવચન માટે ગૂંથે છે.” આ રીતે પ્રભુના કથનમાં જ સ્વશ્રેયઃ માનતા તે મહર્ષિ, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સમક્ષ પોતાની બુદ્ધિને યત્કિંચિત્ જ સમજે છે. તે પરમર્ષિની બુદ્ધિ એવી અજબ હોય છે કે જેના બળે “૩૫ત્રેદ્ વા, વિપડુ વા, યુવેદ્ વા-” આ ત્રિપદી માત્રથી જ એ અંતર્મુહૂર્તમાં જ આખી દ્વાદશાંગીની રચના કરી શકે છે ! તે છતાં પ્રભુની આજ્ઞા સામે તે બુદ્ધિનો ઉપયોગ થતો નથી. એક વખત પોતે જેને જેને દીક્ષા આપે તે દરેકને કેવળજ્ઞાન થવા છતાં પોતાને કેવળજ્ઞાન ન થવાના કારણે ખિન્ન થયેલા શ્રી ભગવાન ગૌતમસ્વામીજીને પ્રભુ પૂછે છે : “વિ અiાં વપરન્નä નિનાનામ્ ?" “શું દેવતાઓનું વચન સત્ય કે જિનોનું ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004825
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy