SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનો તોડવાની ભાવનાઓ આવે. માષતુષ મુનિના જીવનમાં શું થયું? વિચારો. તેમના જીવનમાં જ્ઞાનની જાણકારી કરતાં નિશ્રા-આચરણા અને સમર્પણ પૂર્વકના વિનય મહત્વનો ભાગ ભજવ્યો. ગુરુ કહે “કોઇ સારુ કહેતાં ખુશ ન થઇશ, ખરાબ કહેતાં નારાજ ન થઇશ.' ''મા તુષ, મા રુષ આ શબ્દોના ભાવથી બારમા વર્ષે કેવળી બન્યા. મોહના ક્ષયોપશમ માટે જ્ઞાનીની નિશ્રા અને ક્રિયા=શુદ્ધ સામાચારીનું પાલનબે જરૂરી છે. તેની સાથે જ જ્ઞાન ભળે તો વધારે ઝડપથી મોહનો ક્ષયોપશમ થાય. ભાવ એટલે મોહનો ઘટાડો. અંતરનો ઉલ્લાસ, જયણા, શુદ્ધ ઉપયોગની જાગૃતિ અથવા તેની પ્રાપ્તિનો આદર્શ. એવા ઉપયોગવાનું સાધુએ રોજ ઉપયોગમાં આવતા પદાર્થોની સુવ્યવસ્થા રાખવી જરૂરી છે. ‘ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝાં” પુસ્તકોના થોથાં નીચે દેકડાં ભરાય, આમ પડિલેહણ ન કરીએ ને પુસ્તકો ભેગા કરીએ તે કેમ ચાલે ? એક મુનિ ભગવંત એક-એક પોથીના એક-એક પાનાનું પડિલેહણ કરતા હતા. છાપાની કાપલીઓના પાને શાસ્ત્રોનું દોહન લખ્યું છે. આજે મોટી-મોટી નોટો, ફાઇલો ભરાય છે. સંયમની જયણા કરતા નથી. આપણામાં સંયમ ક્યાં છે ? જયણા ક્યાં છે ? બીજાને કહીએ કે મને વંદન કરતો નથી; પણ વંદન શું કરે ? આપણામાં સંયમ ક્યાં છે ? આજે જીવન થોડું, કાર્ય થોડું ને સાધનો કેટલા વધારે ? ઉપધિ કેટલી ? પડિલેહણનો સમય ક્યાંથી મળે ? ગૌચરી જતાં ત્રણથી વધારે પાતરાં નહીં, ગોચરીમાં પાતરું નીચે મુકાય નહીં. બે આંગળીઓમાં બે પાતરાં પકડી રાખવાનાં અને ત્રીજા પાતરામાં વહોરીને જોળીમાં મૂકી દેવું આ મૂળ વિધિ છે. ઓઘનિર્યુક્તિ, યતિ-સામાચારી, પંચવસ્તુ, ધર્મસંગ્રહ વિભાગ- (૨) તેના આધારે શ્રમણ ધર્મજ્યોત’ પુસ્તક તૈયાર કર્યું છે. આવૃત્તિ ચોથી ના ૨૩૭માં પાને પડિલેહણનો વિધિ છે. જે ગુરુગમથી સમજી જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો આ પડીલેહણ અંગે વિશેષ અધિકાર અગ્રે. વાચના-૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy