SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : સવાર-સાંજના પડિલેહણના ક્રમમાં ભેદ કેમ ? ઉત્તર : ક્રમનાં તફાવત ઉપયોગની જાગૃતિ માટે છે. જિનશાસન યતના = ઉપયોગની જાગૃતિ પ્રધાન છે. જેમાં આપણે આજે કાયા, વચન, મનને સંયમના માર્ગ ટકાવવા પ્રયત્ન કરીએ છીએ. પણ ઉપયોગ કેટલો રાખીએ છીએ ? યોગથી પ્રકૃતિ, પ્રદેશનો બંધ થાય. પરંતુ અશુભ ઉપયોગતો અશુભ કર્મની સ્થિતિ અને રસને વધારે છે. ઉપયોગ ત્રણ પ્રકારના (૧) શુભ ઉપયોગ (૨) અશુભ ઉપયોગ (૩) શુદ્ધ ઉપયોગ. ઉપયોગ એટલે ? ઉપ પાસે, યોગ-જોડાણ. ભગવાનની આજ્ઞા પાસે લક્ષ્યની-વૃત્તિનું જોડાણ તે શુભ ઉપયોગ અને, મોહની આજ્ઞા પાસે લક્ષ્યની-વૃત્તિનું જોડાણ તે અશુભ ઉપયોગ, શુભ ઉપયોગથી પુણ્યબંધ થાય. અશુભ ઉપયોગથી પાપબંધ થાય. શુદ્ધ ઉપયોગથી નિર્જરા થાય. આપણે કર્મબંધન તોડવા માટે સંયમ સ્વીકાર્યો છે.” એમ લક્ષ્યની સતત જાગૃતિ રાખવી. ભગવંતે કહ્યું છે માટે ક્રિયા કરીએ તે શુભ ઉપયોગ. લોકમાં પાંચ માણસમાં સારા કહેવાઇએ તે માટે ક્રિયા કરીએ તે અશુભ ઉપયોગ કહેવાય. પાપ આશ્રવ કરીએ તે પણ અશુભ ઉપયોગ. ભગવંતે કહ્યું છે માટે કરીએ અને તેમાં નિર્જરાનો ભાવ આવે તે શુદ્ધ ઉપયોગ. જાણકારીથી મોહનીયનો ક્ષયોપશમ હોય જ એવું નહિ. અને જાણકારી ન હોય તો પણ કર્મનો ત્રાસ પેઠો છે, આમાંથી છૂટવું છે એ ભાવથી કામ કાઢી શકે. ક્યારેક ભણેલાને કર્મ તોડવાનો વિચાર નથી આવતો. પણ, જ્ઞાનીનાં પડખાં સેવવાથી, ક્રિયાના વિધિપૂર્વકના આચરણથી, વિનય કરવાથી મોહનીય ઘટે ને કર્મનાં વાચના-૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy