SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ચેષ્ટા છે. તેમાંય ગુર્વાજ્ઞા કહી છે; તો બીજું કામ આજ્ઞા થયા વિના થાય જ નહીં, એમ સમજવાનું છે. આજ્ઞા માંગવા ઉપરથી તે ફલિતાર્થ થાય છે. તે માટે બે આદેશ છે. આથી મોહનીય ના સંસ્કાર ઘટે છે, ભાવનિશ્રાનો સ્વીકાર થાય છે. માટે બે આદેશ કહ્યા છે. આખી રાતના પ્રમાદથી બચવા સવારે સક્ઝાયમાં બે આદેશ છે, જ્યારે અહીં વિધિનો ઉપયોગ છે. શાસ્ત્રમાં ભિન્ન-ભિન્ન આચાર્ય કહ્યા છે. શાસનની મહત્વની વાત મોટા આચાર્યને પૂછે. ચાલુ કાર્ય હોય તે માટે બીજા આચાર્ય હોય તેને પૂછે. અંડિલ જવાની આજ્ઞા આચારાંગના જોગવાળા આચાર્યને પૂછે. આજે આ પદ્ધતિ લુપ્ત, થઇ ગઇ છે. કોઇક વાર આપણા ઉપયોગની જાગૃતિ ન રહી તો ? સંયમની વિરાધના = સામાચારી ભંગ થાય. આથી, ગુર્વાજ્ઞાથી કરવાથી ઉપયોગ રહે. પૂછવાથી ઉપયોગની લુપ્તતા-શ્રુત થતાં હોઇએ તો બચે. કાપ, પાતરાંરંગવા, વિહાર, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે કાર્યોનું પણ ગુરુ મહારાજને પૂછવાનું છે. અર્થાત્ આ કૃત્ય કરવા લાયક છે કે કેમ ? એમ પૂછે. આથી અનાદિના સંસ્કારમાં આપણાથી દોરવાઇ ન જવાય. ગોચરી જવું એ સાધુ માટે કૃત્ય જ છે. પણ અત્યારે આપણા માટે ઉચિત છે કે કેમ ? કદાચ મોહનીય ના ઉદયે સગાંને મળવા જતાં હોઇએ તો ? ગુરુ મહારાજ ઇંગિતાકાર અને અનુભવોથી જાણે. માટે ગુરુ આ મોહનાં સંસ્કારની દોરવણીથી બચાવે. વળી, પૂછવાથી વિનયભાવ કેળવાય. કોઇપણ નાનામાં નાનું કાર્ય પણ ગુરુ મહારાજને પૂછ્યા વિના કરવાનું નથી, એ વાત આ બહુવેલના આદેશો શીખવે છે. સાધુ અને પૌષધધારી શ્રાવકોએ બહુવેલના આદેશ માંગવાના. બહુવેલના બે આદેશ પછી શ્રી સિમંધરસ્વામી તથા શ્રી સિદ્ધાચલજીના બે ચૈત્યવંદન હાલ જિતકલ્પમાં વિહિત છે. એ જિતકલ્પ ગીતાર્થકૃત છે. માટે તીર્થકરના વચન તુલ્ય છે. આથી એ બે ચૈત્યવંદન પ્રતિકમણની સાથે જ કરવા પડે. એ પ્રતિક્રમ માં ન કરે તો છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે. | સર્વથા પ્રતિક્રમણ ન કરેતો ચતુષ્ક ગુરુ પ્રાયશ્ચિત આવે. જ્યારે પ્રતિક્રમણમાં દેશ વિરાધના-બોલ ન બોલે, બેસીને કરે તો માસગુરુછુટા બે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. “અવિધિ કરવી એના કરતાં ન કરવું સારું' આમ બોલે તો તે ઉત્સુત્ર છે. ન કરે તો મોટું પ્રાયશ્ચિત્ત અને અવિધિથી કરે તો લઘુ પ્રાયશ્ચિત્ત આવે. હવે પડિલેહણનો ક્રમ અને વિધિ બતાવે છે. તે આગળ વિચારશું. વાચના-૪૦. કકકકકકકક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy