SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે પચ્ચક્ખાણ ધાર્યું હોય તે ગુરુ મ.ને વંદના કરીને લેવાનું અને દેરાસરમાં પરમાત્મા સમક્ષ લેવાનું છે. પ્રતિક્રમણમાં આડ પડે તો શું ક૨વાનું ? વાસ્તવમાં કોઇ ક્રિયામાં આડ ન જ પડવી જોઇએ. દેરાસર, તળેટી સામૂહિક છે ત્યાં આડ ન પડે. બાકી વડીલની આડ પડે તો ગણાય નહીં. આડ એટલે ? આપણા અને સ્થાપનાજીના અધ્યવસાય એક થયેલા હોય તેમાં વ્યાધાત આવે તો તેમાં ધારા તૂટી જાય. તે ધારા ને પુનઃ જોડવા માટે ‘ઇરિયાવહિયા’ કરે, તેમાં પણ ગુરુ મ. નું રત્નત્રયીનું બળ વધારે છે માટે તેઓશ્રી આડે આવે ત્યારે આપણા કેન્દ્રમાં એમને-ગુરુ મ. ને સ્થાપે. પણ બનતા સુધી ગુરુ મ. એ આડ પાડવી ન જોઇએ. છતાં ગુરુ મ. ની આડ પડી હોય તો તેમની આરાધનાની અનુમોદના કરે આડ ગણે નહી. પ્રશ્ન : પચ્ચક્ખાણ આપણે આપતા હોઇએ અને કોઇ લેતું હોય તે સમયે કોઇ આડ પાડે તો ફરી પચ્ચક્ખાણ આપવા ? હા, પચ્ચક્ખાણ ની મર્યાદા વધુ મહત્વની છે. માટે આડ પડે તો ન જ ચાલે. પચ્ચક્ખાણ ફરી થી આપવા પડે. સંકેત પચ્ચક્ખાણનો અધિકાર ચાલે છે. નિષ્ઠાપૂર્વક પળાતા ગંઠસી આદિ પચ્ચક્ખાણના પ્રભાવે પાપ ટળે અને સ્વર્ગ મોક્ષના સુખોની પ્રાપ્તિ થાય. કારણકેઆવા પચ્ચક્ખાણથી મન કાબૂમાં રહે અશુભમાં જતું અટકે, ધીરે ધીરે શુભમાં સ્થિર થાય. આ પચ્ચક્ખાણોનો અાસણ જેટલો પુણ્યબંધનો લાભ બતાવેલો છે. આમ પચ્ચક્ખાણ સંબંધી વાતો રાઇ પ્રતિક્રમણ વિધિમાં પચ્ચક્ખાણ આવશ્યકના અધિકારમાં જણાવી હવે વિધિ પૂર્વક પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા પછી સાધુ કઇ વિધિ કરે ? તે આગળ વિચારશું. વાચના-૩૯ Jain Education International For Private & Personal Use Only ૬૩ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy