SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયાર થાય છે. દેવોને ભરોસે રહેવાય નહીં આપણી પરિણિત આજ્ઞા મુજબ કેળવાઇ હોય તો દેવો સામેથી આવે. અહીં આ દેવોના ત્રાસથી યાત્રિકો આવતા બંધ થયા. જાવડશા ગીઝનીથી પ્રતિમા લઇને આવે છે. (વિ.સં. ૧૦૮ની વાત છે.) આ પ્રતિમાવાળા રથને જાવડશા અને તેની સ્ત્રી બળદ ની જગ્યાએ જોડાય છે. અને પોતે જ ખેંચીને લઇ જાય છે; પહેલા હડે લઇ જાય છે, રાત ત્યાં જ રહે. ત્યાં તો દેવ સવારે રથ લાવીને તળેટીમાં મૂકી દે. આમ વારંવાર કર્યું. ઉપરથી વીજળી પડે, પથ્થરો પડે પૂ.આ. શ્રી વજ્રસેનસૂરિ મ. સૂરિમંત્રના જાણકાર હતા. જાપ કરે. બંને સાથે ચાલે તો જાવડનું પુણ્ય તથા ગુરુ મ. નું બ્રહ્મચર્યનું બળ, પેલો સહી ન શકે તો વધુ વાર વધુ તોફાન કરે. માટે આગળ પાછળ ચાલે છે. તોય તોફાન થાય ત્યારે પૂજ્યશ્રી વાસક્ષેપ આદિ ઉછાળે છે. આથી પેલો દેવ શાંત થાય છે. છતાં રાત પડે રથ નીચે ઉતારી દે છે. આમ રોજ ચાલે છે. છેવટે ૨૧ મા દિવસે જાવડશા અને તેની પત્ની રથ નીચે સૂઇ જાય છે; અને કહે છે આજે રથ અમારી ઉપર થી ચલાવી નીચે લઇજા. આચાર્ય મ. જાપમાં બેસે છે. જાવડનું સત્વ અને આચાર્ય મ.ની આરાધના ના બળે મિથ્યાત્વી કવડ કાંઇ કરી શક્તો નથી. રથ રાત્રે સ્થિર રહ્યો, બીજે દીવસે સવારે ૨થ ગિરિરાજ ઉપર લઇ જાય છે અને પ્રતિષ્ઠા કરે છે. પલો વણકરનો જીવ દેવલોકમાં ઉત્પન્ન થયો છે; તે આચાર્ય મ. સામે હાજર થાય છે, અને કામ કરવા માટે પૂછ્યું. વજ્રસેનસૂરિ મહારાજા શાસન રક્ષા કરવા કહે છે. પેલા મિથ્યાત્વી દેવ ને હટાવવા લડાઇ કરી. ગદા મારી, ત્યાર પછી તે જુનો મિત્યાત્વી કવડયક્ષ ત્યાંથી ચાલ્યો ગયો અને પ્રભાસ પાટણ ગયો. આચાર્ય મ. નવા કવડયક્ષની સ્થાપના કરે છે. આમ ગંઠસીના પચ્ચક્ખાણના પ્રભાવે દેવ થયો. અને ગિરિરાજનો અધિષ્ઠાયક થયો. આ પચ્ચક્ખાણો અવિરતિ માટે છે. સાધુ-સાધ્વીને તો એકાસણા અને તિવિહાર છે. આ સંકેત પચ્ચક્ખાણો દ્વારા તપનો અભ્યાસ–તાલિમ પ્રયત્ન થાય. અને તે તાલિમ દ્વારા અભ્યાસ એટલે શિવપુરની નજીક જવાય છે. સિદ્ધપુરસ્ત અબ્બાસ એટલે મોક્ષની નજીક જવાય. આ પચ્ચક્ખાણમાં અણુસણ જેવા પુણ્યનો લાભ બતાવ્યો છે. તેમાં વ્રત પચ્ચક્ખાણ પાલનની તત્પરતા કેટલી છે તે મહત્વનું છે. દહીં અને દૂધ બન્નેમાં પગ રાખવો કે ગાજરની પિપુડીની જેમ લીધેલા પચ્ચક્ખાણની કોઇ વિશેષ કિંમત નથી. અહીં પુણ્યબંધની વાત છે; માટે શ્રાવકનો મૂળ અધિકાર છે. પ્રતિક્રમણ વાયના ૩૯ Jain Education International For Private & Personal Use Only ૬ર www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy