SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જે દરરોજ ગંઠસી પચ્ચક્ખાણ પારે તે ધન્ય છે. કેમકે તે “ગંઠી સહિય' પચ્ચક્ખાણની ગાંઠ છોડતાં કર્મની ગાંઠને પણ છોડે છે. કવાયક્ષ ગંઠસી પચ્ચકખાણના પ્રભાવે જ તીર્થ અધિષ્ઠાયક બન્યો છે. કવયક્ષનો જીવ પૂર્વભવમાં મહુવામાં વણકર હતો. જે માંસાહારી હતો, શરાબમાં આસક્ત હતો. સાથે એટલી બધી વિષય વાસના હતી કે જાહેરમાં પણ તે વણકર બંન્ને સ્ત્રીઓ સાથે ચાળા કરે એકવાર ત્યાંથી વજસેનસૂરિ મ.સા. પસાર થાય છે, આ દશ્ય જોઇને આચાર્ય ભગવંત હસે છે. આચાર્ય ભગવંતને હસતા જોઇને વણકર વિચારે છે “જૈન સાધુ ગંભીર હોય છે, વગર કારણે હસે નહીં.” આથી હસવાનું કારણ પૂછે છે ત્યારે ગુરુ મહારાજ કહે છે કે “આજથી સાતમે દિવસે તારું આયુષ્ય પૂર્ણ થશે. આ તું શું કરે છે ?' આ સાંભળી વણકર ગભરાયો. પોતાના જીવનના કારણે સામે દુર્ગતિ દેખાવા લાગી. જગતના જીવોની સ્થિતિ જ આવી છે; આખી જીંદગી કામભોગોમાં રાચ્યા માચ્યા રહે છે, ધર્મ કે પરભવ યાદ આવતો નથી, પરંતુ મૃત્યુ જ્યારે સામે દેખાય છે ત્યારે પાપો દુર્ગતિ યાદ આવે છે અને આકુલ-વ્યાકુલ થાય છે. વણકર પણ મૃત્યુની વાત સાંભળી પાપોથી ગભરાવા લાગ્યો. દુર્ગતિથી બચવા માટે આચાર્ય મહારાજને ઉપાય પૂછે છે. આચાર્ય મ. નવકાર શીખવાડી ગંઠસી પચ્ચકખાણ કરવા કહ્યું. ખાતીપીતી વખતે કંદોરાની ગાંઠ છોડવા કહ્યું. વણકરની જૂની સ્ત્રી પતિવ્રતા હતી. નવી સ્ત્રી શરાબી તથા ઉદ્ધત હતી. વણકર રોજ વારંવાર ગાંઠ છોડે આથી પેલી નવી સ્ત્રી માને કે મારા પતિને પેલા સાધુએ કાંઇ તંત્ર શીખવાડ્યું છે. વળી મારી શોક્યને પણ સુખ કેમ મળે ? એમ એતો બળ્યા જ કરે છે. આથી નવી પત્ની પતિને શરાબમાં ઝેર આપે છે. શરાબની પ્યાલી પીવા કહે છે. વણકરે નવકાર ગણ્યા. કંદોરાની ગાંઠ છોડવા પ્રયત્ન કર્યો પણ ફીટ થઇ ગયેલી ગાંઠ ખૂલી નહી. સ્ત્રી કહે છે કે અત્યારે શરાબ પી જાવ. ગાંઠ પછી ખોલજો, વણકરે નિયમ તોડ્યો નહી. શરાબની તલપ અને ભૂખ છે. છતાં વણકર મરતાં મરતાં ગાંઠ ઉપર હાથ મૂકે છે. ગુરુ મહારાજનો ઉપકાર યાદ કરે છે. નવકાર યાદ કરે છે. આના પ્રભાવે વણકર મરીને વ્યંતર નિકાયનો દેવ થયો. અહીં સિદ્ધાચલ પર જે કવયક્ષ હતો તે બીજા દેવના સહવાસથી મિથ્યાત્વી થયો છે. જે યાત્રા કરવા આવે તેને મારી નાખે છે. અને તેમના લોહી માંસથી દાદાની પ્રતિમા લેપે છે; અભડાવે છે, ખંડીત કરે છે. તીર્થની દશા જોઇ જાવડશા ઉદ્ધાર કરવા વાચના-૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy