SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અપવાદે સવારે વાપરવાનું હોય તો પૂ. ઉપાધ્યાયજી મહારાજ નવકારશીમાં માત્ર તરપણી ડાભડીયો જ આપે. પ્રવાહી સિવાય કાંઇ વાપરવાનું નહીં. પૂ.આ. શ્રી કુમુદસૂરીશ્વરજીએ સેનપ્રશ્ન ગુજરાતી છપાવેલ છે. તેની પ્રસ્તાવનામાં દીર્ઘદર્શી પંડીતવર્ય શ્રી પ્રભુદાસ ભાઇએ સાધુ-સાધ્વીને માંદગીના કારણોમાં આરોગ્ય શાસ્ત્રના આધારે લખ્યું છે કે...‘‘સત્યશન-એધ્યશન-વિષમાશન-અલ્પાશન આદી તત્વો દોષો ઉભા કરે છે. સમાશન સર્વ રોગ નાશ કરે છે, આરોગ્યનું ધામ છે. ખરેખર કડા વિગઇ, ફરસાણ કે બાફેલુ (ઢોકળા) વિગેરે કદી પચતું જ નથી. દરેક સમયે હોજરી એક સરખી કામ કરતી જ નથી. ચોમાસામાં અને વિહારમાં ખોરાકમાં ફરક પડી જાય છે. ચોમાસામાં હોજરી કામ કરે નહિ માટે ખોરાક ઘટી જાય પણ ૫૧ ખમાસમણાદિ દેવાય તો હોજરી પાચન કરી શકે.'' સાધુને મુખ્ય માર્ગે એકાસણું જ કરવાનું છે છતાં; ‘‘પૌરચાવો'' કદાચ સાધુને બિયાસણું કરવું પડે તો પોરિસીમાં જ કરે. આ આજ્ઞા પાલનથી લાભ એ છે કે કો; જ્ઞાન-ધ્યાન ચિંતન વિગેરે થાય. નવકારશી કરે એને શું ટાઇમ રહે. પ્રતિક્રમણ પડિલેહણ, દર્શન, પચ્ચક્ખાણ પારવું, નવકારશી કરવી પોરસીના પાતરા પડિલેહણ કરે, ગોચરી જાય, ગોચરી વાપરી સૂઇ જવું આમ આખો દિવસ પૂર્ણ થાય તો સંયમજીવનમાં સ્વાધ્યાય આરાધનાદિનો લાભ શું મળે ? નવકારશીમાં ૧૦૦ વર્ષની અશાતા તૂટે એ પ્રચલિત વાત શ્રાવકની અપેક્ષાએ છે. જે શ્રાવકો પચ્ચક્ખાણ ન કરે તેને આ લાભ બતાવી પચ્ચક્ખાણનો માર્ગ બતાવી. આરાધનામાં જોડે. સાધુને તો કમ સે કમ પોરિસી જ કરવાની છે. માટેજ ગ્રંથકારે પેરિસિ ઘડત્ય છતું ારું. કહી પોરસીના (સામાન્ય) ફળની વાત કરી છે સાધુને નવકારશી ક૨વાથી શું લાભ થાય તે વાત ન કરી. ``વાસસય સદસ્ત નવૅટિં’′ પદ દ્વારા પોરસીથી નારકીના ૧૦૦ વર્ષની અશાતા તૂટે અહીં સાધુઓની વાત છે. તેથી અહીં અપેક્ષા ફરી. અહીં નારકીના જીવોના ૧૦૦ વર્ષ આશાતના દલિકો તોડે તે વાત પોરિસિમાં કહી છે. પેલી નવકારશી સંબંધની વાત પણ સાચી; જે શ્રાવક અપેક્ષા ત વાત જણાવી છે. પુરુષની છાયા પોતાના અંગ પ્રમાણે થાય ત્યારે પોરિસી આવે. આથી ચોકસાઇ પૂર્વક પચ્ચક્ખાણ થાય. ઘડિયાળના ટાઇમે પચ્ચક્ખાણ કરવાથી આગળ પાછળ સંભવના છે. પોરિસીનું પચ્ચક્ખાણ કરે તો ૧૦૦ વર્ષથી વધુ નારકીના અશાતા વાચના ૩૭ Jain Education International For Private & Personal Use Only va www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy