SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રીય મર્યાદા જાળવવાની જરુર છે. દૂધ ન પીવાય અને દૂધપાક પીવાય. આ ક્યાંથી આવ્યું ? શું તેનાથી વિકાર ન થાય ? આજે ઉપધાનની નિવિની પદ્ધતિ બરાબર નથી. “ખોટું છે'' તેમ ન કહેવાય પણ બારીનું બારણું થઇ ગયું છે. માત્ર ૧-૨ વિગઇ ની છૂટ અપાય અને તેમાંય દૂધમાં ભરપુર બળેલો આટો હોય તેવું દૂધ નિવિમાં ખપે, આંખ અને નાક બંન્ને બંધકરી વાપરવું પડે તેવું નિવિમાં હોય, ટેસ્ટફૂલ દૂધ તો નિવિમાં ખપે જ ક્યાંથી ? નિધિમાં જ્ઞાની ભગવંતની આજ્ઞા પાલન અને તેની અનુમોદના કરે. સાધુ જીવનની સાધુતા ખીલી ઉઠે તે માટે તપ કરવાનો છે. ''વિમત્ત વ મોડએકાસણાથી ઓછું પચ્ચખાણ તો સાધુ ભગવંતને હોય જ નહિ. તેમાં ક્રમશ: વધવાનું છે. પરિણામની ધારાને વર્ષોલ્લાસથી આજ્ઞામાં જોડવાની છે. (હવે પચ્ચકખાણ ભાષ્યનો અધિકાર આવે છે. તેને છોડીને ૨૪માં પેઇજ મૂળગાથા રર નો અધિકાર વિચારીએ છીએ.) પરિસિ ઉત્થ’’ સાધુને પચ્ચકખાણમાં પોરિસી છે. મુખ્યમાર્ગે નવકારશીનું નામ જ નથી. ગાયકવાડ સરકારના *દફતરમાં દસાડાનું નામ નથી તેમ સાધુને પચ્ચકખાણમાં નવકારશીનું નામ ન હોય. “સાધુની માંદગીનું મૂળ નવકારશી છે.'' એમ પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. કહેતા હતા. હોજરીની અગ્નિ પ્રદીપ્ત થયા વિના તેમાં આહાર નાંખવાથી પચે જ કેમ ? આજની નવી પેઢી રાત્રિભોજન બાજુ વળી છે; પણ આપણી શી દશા છે ? તે વિચારીએ છીએ ? બપોરની ગોચરી કરતાં પણ ભારે આજની આપણી નવકારશી થઇ ગઇ છે. કસમયે નાંખેલ આહાર હોજરીમાં પચે જ ક્યાંથી ? પૂ. ઉપાધ્યાયજી (શ્રી ધર્મસાગરજી મ.) પોતે તો એકાસણાં કરતા હતા. પરંતુ સાથેના કોઇ સાધુઓને * ગાયકવાડ સરકારે એક મહોત્સવમાં પોતાના તાબામાં રહેલા બધા રાજાઓને નિમંત્ર્યા, તેમને ખુશ રાખવા માટે ખાસ સરભરા થતી હતી. જેમની ખાંડણીઓ ખાય તેમને આ રીતે માન-પાન આપવું તે રાજનીતિ છે. માન-પાન આપી મુર્ખ બનાવી ગુલામીની પક્કડ મજબૂત બનાવે. આ પ્રસંગે દસાડાના દરબાર પણ મિત્ર હોવાથી આવેલા; તેઓની સરભરા થતી પણ તાબાના રાજા તરીકે તેઓનું નામ દફતરમાં ન હોવાથી વિશેષ દેખભાળ-સરભળા થતી નથી, દસાડાના બાપુએ આ ભેદ સમજ્યા વિના દીવાનને ફરીયાદકરી, દીવાને લાખો રૂપિયા લઇ તેમનું નામ દફતરમાં દાખલ કર્યું અને સરભરા કરી. દસાડાના બાપુ મિત્રમટી તાબેદાર બન્યા. . વાચના-૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy