SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક છે. આથી ગુરુ મ. ને હાથની પીઠ ન થાય તેમ હાથ થોડા ડાબી બાજુ લઇ જઇ ઉપર મસ્તક તરફ ઉંચે લઇ જવા. આ ગુરુ-તત્ત્વનો વિનય બહુમાન છે. આમ કરવાથી પ્રદક્ષિણાવર્ત બને છે. બે વાર વાંદણા દેવાથી ૬ + ૬ = ૧૨ આવર્ત્ત થાય. પ્રશ્ન વાંદણા બે વાર કેમ ? વંદન શા માટે ? આલોચનાની પૂર્વ તૈયારી છે. દેવસિયં આલોઉં ? વિગેરે આલોચના સૂત્ર છે. ગુરુ મ. ની પાસે જઇને આલોચના ક૨વાની છે. માટે ગુરુ મ. ની પાસે જઇને પૂર્વે વિનય કરે; પછી વાત કરે. તેમ પ્રથમ વંદન એ વિનય રુપે ગુરુ મ. ને સુખશાતા પૂછવા માટે છે. વિનય ભક્તિ વંદન કર્યા પછીનું બીજુ વંદન એ પોતાના કામ બતાવવા માટે છે. પ્રથમ વંદનમાં ‘આવસ્સિયાએ' આવશ્યક કાર્ય છે. માટે બહાર નિકળું છું એમ કહે. પ્રથમ વંદનમાં વંદન કરી બહાર નિકળવાનું છે. માટે પહેલા વંદનમાં ‘આવસ્તિયાએ’ બોલવાનું છે. બીજા વંદનમાં અવગ્રહમાં રહીને જ આલોચના-ક્ષમાપના વિગેરે કામ કરવા છે. તેથી અવગ્રહની બહાર નિકળવાનું નથી. માટે બીજા વંદનમાં આવસિયાએ કહેવાનું નથી. આલોચના ક૨વાની છે. તે માટે ગુરુ મ. ની અનુજ્ઞા માંગવાની છે. રૂઘ્ધારે સંવિઋદ મવન્ ! રાડ્ય આતોરું ! કહી નત મસ્તકે બે હાથ જોડી મુહપત્તિ રજોહરણ યુક્ત સાધુ સૂત્ર બોલવા પૂર્વક ગુરુ સમક્ષ આલોચના કરે. આલોચના એટલે ? ઞ = મર્યાદાપૂર્વક = તોદ્દન જોવું. વિવેક ચક્ષુથી આત્માને જોવે. અંતર નિરીક્ષણ કર્યા પછી દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે તે આલોચના છે. કથનથી આલોચના કરતી વેળાએ ગુસ્સુત્તો -૩મો...નાળે હંસને...૦ વિગેરે શબ્દો બોલતાં અંતરમાં દ્રષ્ટિ કરવી. ક્યાં ક્યાં દોષ લાગ્યા છે. પરમાત્માએ જણાવેલું નિરતિચાર સંયમ જીવન કેવું ? અને મારા જીવનીમાં દોષોની કેવી પરંપરા ચાલી રહી છે ? આત્મ તરફ દ્રષ્ટિ જાય તો જ આલોચના શકય બને. આલોચના કર્યા પછી ``સંથારા ૩વટ્ટાવી’’ સૂત્ર બોલવું. તેની વિચારણા હવે પછી કરશું. વાચના ૩૪ Jain Education International For Private & Personal Use Only ૩૬ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy