SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ એમાંયે એમણે સામાચારીનો ભંગ કર્યો. કમ્મર દુ :ખે ત્યારે બામ લગાવવાનું દબાવવાનું વિગેરે ન કરવું. અર્ધ પદ્માસને બેસી ૨૫ નવકારવાળી (૨।। હજારનો જા૫) ક૨વાથી કમ્મરનો દુખાવો બંધ થાય જ; ત્રણ હપ્તે ગણી શકાય એક જ હપ્તે ગણાય તો સર્વશ્રેષ્ઠ. આ ટટ્ટાર બેસવાથી જ કમ્મરનો ન દુઃખાવો દૂર થાય જ. દર્દ દૂર થાય, વાંકા ન બેસાય. આમ ગણવાથી આ જ જિનશાસનની દવા છે. ગુરુ મ.એ પેલા સાધુને આ આજ્ઞા કરી. પણ કમ્મર ખુબ દુ :ખે એથી ઝૂકીને નવકારવાળી ગણે. આથી કમ્મર વાંકી થઇ ગઇ. અને આંતરડામાં મલ આડો અવળો ભરાયો. તેથી વધુ દર્દ થયું. ``નિર્વિત્વ ગુરુ ગાજ્ઞા સમાવળિયા’’ આ સાધુએ આજ્ઞા પાળી. પણ તેમાં સ્વચ્છંદવાદનો ઉપયોગ કરવાથી દર્દ વધી ગયું. આથી સહન થતું નથી. એક દિવસ ઉપાશ્રયમાં કાળો સર્પ ધસી આવે છે; ત્યારે કાળા સર્પના મુખના દાંત ગણવાની ગુરુ મ. એ તેને આજ્ઞા કરી. તે સાધુ પણ ગુરુ આજ્ઞામાં કોઇ તર્ક કર્યા વિના જ એક પગ દ્વારા જોરથી સર્પ ને પકડે છે ત્યાં તો સર્પે ફૂંફાડો માર્યો અને ત્યાં જ સર્પના ફૂંફાડાના ચમકથી પેલો મલ દૂર થયો. કમ્મર સીધી થઇ ગઇ. આ આજ્ઞાનું બળ છે. ગુરુ મ. ની પ્રત્યેક આજ્ઞા શિષ્યને હિતકારી હોય છે. આથી જ શિષ્યને અંતરમાં ગુરુ મ. નું બહુમાન હોય. વંદન ભક્તિ પણ ભાવપૂર્વક કરે. દ્વાદશાવર્ત વંદનમાં ગુરુ મ.ની વિશિષ્ટ ભક્તિ પ્રગટ થાય છે. ગુરુતત્વના રાગને પ્રગટ કરવાની પ્રક્રિયા છે. ગુરુમ.ના અવગ્રહમાં દાખલ થઇ ગુરુ મ.ના ચરણ સ્પર્શ કરી મસ્તકે ભાવપૂર્વક અડાડવાના ઉદાત્ત અનુદાત્ત સ્વરિતની મર્યાદાથી ગઇકાલે વિચારણા કરી તેમ સૂત્ર બોલતાં બંને હાથના પંજા પહોળા કરી રજોહરણ (ગુરુ ચરણ) ને સ્પર્શ કરી ``ગ’′ બોલવો. તે જ રીતે પહોળો કરેલો પંજો પોતાના મસ્તકે અડાડતાં ``ો'' બોલવું. આજ પ્રમાણે ` '`Ë', અને `ગ’----`ચ’... બોલવું. આમ ત્રણ આવર્ત થશે. બીજા ત્રણ આવર્તમાં થોડો ઉપયોગ રાખવાનો ત્યાં ત્રણ-ત્રણ અક્ષર છે. આથી રજોહરણ ને સ્પર્શ કરતાં. 'ખ' બોલવો. રજોહરણ અને લલાટની અધવચ્ચે ખુલ્લો પંજો રાખી ।' બોલવું. પહોળો પંજો લલાટે અડાડતાં `મે' અક્ષર બોલવો. આજ રીતે ખ...વ.. fj...અને નં.૬.મે.. બોલી ત્રણ આવર્ત કરવા. આમ છ આવર્ત થાય. ઓધો એ ગુરુ મ. નું પ્રતિક છે. હાથ એ સ્વયં આપણી જાત છે; પોતાનું વાચના-૩૪ Jain Education International For Private & Personal Use Only ૩૫ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy