SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયસૂરિ મ. બે હાથ જોડી દોઢ કલાકથી ઉભા હતા, બેઠા પણ નહીં. ગુરુ તત્વનું બહુમાન આ કાળમાં પણ છે. ઉદયસૂરિ મ. આચાર્ય છતાં ગુરુ તત્વ પ્રત્યે વિનયની આ ઉચ્ચ સ્થિતિ હતી. ૩૪ ઠાણાએ ગોચરી કરી લીધી હતી. પણ ઉદયસૂરિ મ. એ પચ્ચકખાણ નહીં પાળેલું. પૂ. નેમિસૂરિ મ. એ પોરિસી કરી હતી. પણ આજે તો શાસનની વાતોની તન્મયતામાં પચ્ચખાણ પણ નહોતું પાળ્યું. ઉદયસૂરિ મ. એ કહ્યું ત્યારે ખબર પડી. ઉદયસૂરિ મ. પણ હમણાં વાત પૂરી થાય એટલે વિનંતિ કરું એમ માની દોઢ કલાક બે હાથ જોડી પાછળ ઉભા રહ્યા. પણ બોલ્યા નહિ. વચ્ચે વિનંતી કરે તો ચાલી રહેલી શાસન ચિંતામાં વ્યાઘાત થાય. અને પોતે પચ્ચકખાણ પાળી લેતો ગુરુ ભક્તિમાં ખામી આવે. આથી બોલ્યા વિના જ ગુરુ મ. ની પાછળ ઉભા રહ્યા. “હમણાં જ વાત પૂરી થાય એટલે વિનંતી કરું' એમ રાહ જોતાં જોતાં દોઢ કલાક વિતી ગયો છતાં બેઠા નહિ.કહ્યું પણ નહિ. કેટલી મર્યાદા...! આમાં ગુરુ મ. પ્રત્યેનું કેવું બહુમાન ? ગુરુ મ. ની તારકતાનો ખ્યાલ આવે તો હેયે વિનય હોય જ. અને વંદન વખતે એ આવર્ત દ્વારા પ્રગટ થાય. એનાથી મોહનો ક્ષયોપશમ થાય. મોહનીયનો ક્ષયોપશમ એ જ કેવળજ્ઞાનની ભૂમિકા છે. વંદન દ્વારા આ ભૂમિકા તૈયાર કરવાની છે. તીવ્ર ક્ષયોપશમની ભૂમિકા એ પહોંચવાનું છે. તેમાં ગુરુકૃપાનું બળ જોઇએ જ. ગુરુ. મ.ની કૃપા શી રીતે મળે ? ગુરુ મ. ને જે ગમતું હોય તે શિષ્ય કરે. ગુરુ મ. અને શિષ્ય નો આત્મીય સંબંધ છે. શારીરિક કે વાર્થ ભાવનો સંબંધ નથી. આપણા આત્માને કર્મબંધથી છોડાવવાનો શુભ તીવ્ર ભાવ જ ગુરુ મ. ને હોય છે. માટે આત્મીય સંબંધ ગુરુ શિષ્યનો છે. શિષ્ય, ગુરુ મ. ને ગમતું જ કરે. ગુરુ મ. ગુરૂ મ.ને ગમે ને શું ગમે ? આત્માની સાધના કરનાર અને કરાવનાર ગુરુ મ. છે; આથી ક્રિયામાં ઉપયોગ-આદર્શ સમાચારીનું બહુમાન કરે તો ગુરુની કૃપા મળે. વ્યક્તિની પૂજા જિનશાસનમાં ક્યાંય નથી, સિવાય વીતરાગ. મંદિર હોય તો વીતરાગના ! મૂર્તિ હોય તો વીતરાગની ! આરતી હોય તો વીતરાગની ! ગુરુની તો માત્ર પાદુકા જ હોય. અને તેને ધૂપ જ ઉવેખે. પૂજા ન હોય. ૧૩ મી સદી પહેલાં ગુરમૂર્તિઓ ન હતી. ૧૫-૧૭મી સદીમાં વધી. અને છેલ્લા ૧૦ વર્ષથી ગુરુપૂજા શરુ થઇ વાચના-૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy