SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ લેવાની છે. પણ યતિઓએ આ અપવાદનો રાજમાર્ગ કર્યો છે. છતાંય તેમને ઉત્તરગુણમાં ગાબડું પડ્યું પણ; મૂળગુણમાં કોઈ ખામી નહિ. આથી જ ઉજમણા, સંઘ, પ્રતિષ્ઠા વિગેરેમાં એઓશ્રીની જ આજ્ઞા ઉપા. યશોવિજયજી વિગેરે મંગાવતા હતા. જ્યાં સુધી મૂળ ગુણમાં ખામી નથી આવી ત્યાં સુધી જ તેમના આદર્શ રખાય. ગુરુને માત્ર માનવ નહિ પણ ગુરુતત્ત્વની દ્રષ્ટિથી જોવાના છે. તો જ બહુમાન ટકી શકે. અને વંદનની આવર્ત વિધિ બરાબર સચવાય. છંદ શાસ્ત્રોમાં ૨૧ પ્રકારના આવર્ત કહ્યાં છે. મંડલાવર્ત, પ્રદક્ષિણાવર્ત, ગોમૂત્રિકાવર્ત વિગેરે. આવર્ત એટલે ગુમાવ, મરોડ ! અહીં વંદન પ્રદક્ષિણાવર્તથી કરવાનું છે. આવર્ત એ તો ગુરુ મ. નો પ્રત્યે વિનય બહુમાન ને પ્રગટ ક્રિયા કરવાની ક્રિયા છે. ગુરુ પૂજનીય છે એ ભાવને જમાવવાનો છે. વ્યક્તિ પૂજનીય ક્યારે ? વિશિષ્ટ કોટીની ભૂમિકા હોય વિનય પરિણત થયો હોય ત્યારે વ્યક્ત પૂજનીય બને છે. આ ભૂમિકાની સમજણના અભાવે આજે સમર્પિત ભાવની કડી ખૂટી ગઇ છે. વિ. સં. ૧૯૯૪માં ગુરુ મહારાજની (પૂ.ઉપાધ્યાય ધર્મસાગરજી મ.) સાથે (અમો ૩ ઠાણા વાચનાદાતા પૂ. પંન્યાસ શ્રી અભયસાગર મ. આદિ), ખંભાત થઈ ભાલ પ્રદેશથી પાલીતાણા આવી રહ્યા હતા. ભાલપ્રદેશનો છેલ્લો મુકામ વલ્લભીપુર હતો. ત્યાં પૂ. નેમિસૂરિ મ.ના સમુદાયના ૩૪ ઠાણા બિરાજમાન હતા. પૂજ્યા ઉપા. શ્રી ધર્મસાગરજી મ. શાસ્ત્ર ચુસ્ત હતા, ગુણીયલ હતા; તો નેમિસૂરિ મ. રત્નના પારખું હતા. વલ્લભીપુરમાં તે દિવસે વ્યાખ્યાન રાખેલું. સાધુના આગમન થી શ્રાવકોને પણ ઉલ્લાસ થાય. વ્યાખ્યાનમાં ૩૦ જેટલા સાધુઓ હતા. આચાર્ય ભગવંતની ચકોર નજર હતી. આથી પાછળ બેસેલ પૂ. ઉપાધ્યાય મહારાજને આગળ બેસાડે છે. ત્યાંના સરકારી માણસો પણ દેશનામાં હતા. એક કલાક દેશનાની ધારા વરસાવી. તે પછી ઉપાધ્યાય મ. એ આચાર્ય ભગવંતના ચરણ સ્પર્શ કરી સમાચારીનું પાલન કર્યું. આચાર્ય ભગવંતના આગ્રહથી તેઓ ઉપાશ્રયના ઉપરના ભાગે. એમની રૂમે ગયા. શાસન સંબંધી અનેક વાતો નીકળી ઘડીયાલમાં. ૧રા થયા. પણ વાતનો છેડો આવ્યો જ નહિ. શાસનના અનેક કામોમાં પૂ. ઉપાધ્યાય મ. સંકળાયેલ. તેની જાણકારી મેળવવાની આચાર્ય મ. ને પણ તાલાવેલી. પૂ. ગુરુ મ. ને એકાસણું હતું છતાં શાસનની વાતોમાં બધુજ ગૌણ હતું વાત કરતાં કરતાં ગુરુ મ. એ અચાનક પાછળ જોયું. તો ઓહ ! | વાંચના-૩૩ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy