SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૧૦ આંગળી દ્વારા ૧૦ બટન દબાવે. ગુરુના ચરણનો સ્પર્શ કરી. એમના પરમાણુ લે; પછી ૧૦ સેન્ટરમાં ૧૦ આંગળી મુકવાની છે. ગુરુ ચરણોમાંથી જ્ઞાન ધ્યાનથી જે પ્રેરણા મેળવી છે તે પોતાના મગજમાં મુકવાની છે. તેની આ પ્રક્રિયા છે. બટન દબાવો અને લાઇટ થાય. તેમ ગુરુવંદનના બહાને મોહના સંસ્કારોને ઘટાડવાની શક્તિ મેળવવાની છે. અરિહંતની કરુણા વિના જગતનો કોઇ આત્મા મોહનીયના સંસ્કારોની લયોપશમની ભૂમિકામાં પગ મૂકી શકતો નથી. આચાર્ય, ઉપાધ્યાય, સાધુની કરુણા એ ક્ષયોપશમ માટે પાત્ર બનાવે છે. ૧૮ સાધુ સાથે ૧૭મી સદીમાં ઉતરાર્ધમાં ક્રાઇસીસ આવ્યો. પૂ. સત્ય વિજયજી મહારાજે શિથિલ બનેલ મોક્ષની ક્રિયાનો માર્ગ ચાલુ કર્યો. તે સમયે ભટ્ટારક પદે વિજય પ્રભસૂરિ મહારાજ યતિ હતા. પાલખીમાં બેસતા, મંત્ર-તંત્ર કરતા તે છતાં એમના હૈયામાં શાસન વસેલુ હતું. સમ્યગુદર્શન ચોકખું હતુ માટે સત્યવિજય મ., યશોવિજયજી મ. આદિ ચોમાસા વિગેરેની આજ્ઞા તેઓશ્રી પાસે મંગાવતા હતા. ચોથા વ્રતમાં જરાય ઢીલા ન હતા. ઉસૂત્ર પ્રરૂપણા કરતા ન હતા. આજે શ્રમણવર્ગ યતિ કરતાંય ઢીલા થઈ ગયા. એઓ જોગ વિના બારસા ન વાંચે, ૯મું વ્યાખ્યાન અવશ્ય વાંચે. માર્ગ પ્રરૂપણા સારામાં સારી કરે. માત્ર ઉતરગુણમાં વાંધો. મૂલ ગુણમાં ક્યાંય વાંધો નહી. સામાચારીમાં ક્યાંય વાંધો નહી, છતાં મૂળ અપવાદ માર્ગને ધોરી માર્ગ કર્યા માટે એમને યશોવિજયજી મ. એ માત્ર વાક પ્રહારો કર્યા છે. યતિઓ મંત્ર-તંત્ર તથા ક્યારેક પાલખીનો ઉપયોગ કરતા હતા. કોઈ વિશિષ્ટ કારણ આવતાં અપવાદે કાંઇ કરવું પડે તે વાત જુદી પણ અપવાદ માર્ગને ઉત્સર્ગ માર્ગ તો ન જ બનાવાય. જગડુશાહનો એક વેપારી કિંમતી પત્થર (કિંમતી) લઈ આવે છે. શેઠ હાજર નથી તેથી મહેતાજી મોંમાંગી કિંમત આપી લઈ લે છે. શેઠ આવ્યા; વાત કરી ત્યારે જગડુશાહ પૂછે છે કે આ પત્થર માટે આટલી કિંમત શા માટે આપી ? મહેતાજી કહે “આપની ઇજ્જત રાખવા આ પથ્થર લીધો છે.” જાહેરમાં ઉપરની વાત ન કરી. પછી અન્ય કામના બહાને શેઠને ભોંયરામાં લઇ જઇને “પરમાણંદસૂરિએ કાનમાં કહેલ કે આ પત્થર કિંમતી ચીજ છે. આ પત્થરની અંદર કિંમતી હીરા વિગેરે છે” એમ મહેતાજી કહે છે. વેપાર શેઠને જ કરવાનો છે છતાં; આવા પ્રસંગે મહેતાજી કરે તો અપવાદ ગણાય. રોજ કરે તો ? નિમિત્ત-કારણ આવે ત્યારે જ અપવાદની સહાય વાચવા-૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy