SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનું છે. વંદન એ વિનયનું પ્રતિક છે. પ્રદક્ષિણા એ ઉચ્ચકોટીનો વિનય છે. મોહનીય ને ઘટાડવાની પ્રક્રિયા છે. અનાદિકાલીન સ્વચ્છંદતાને અટકાવવા ગુરુ નિશ્રામાં જવાનું છે. તે માટે અવગ્રહમાં પ્રવેશ કરવાનો છે. વંદન દ્વારા ગુરુ નિશ્રાનો સ્વીકાર થાય છે. માટે જ દ્વાદશાવર્ત વંદન દ્વારા મોહનીયના સંસ્કારોથી અલિપ્ત થવાનું છે. વંદનના આવર્તેથી ભવના આવર્તોને કાપવાના છે. લોઢું લોઢાને કાપે તેમ આવર્ષોથી આવર્ત કપાય છે. આવર્ત એટલે જ ભમવાની ક્રિયા. તે આવર્તોને પરમાત્માની આજ્ઞાના આવર્તોથી દૂર કરવાના છે. ગુરુચરણે સ્પર્શ કરી આવર્ત પૂર્વક વંદન કરવાનું છે. તે માટે અવગ્રહમાં જવાનું છે. પૂર્વના મુનિઓ ગુરુચરણે સ્પર્શ કરતા હતા. તેમ આજ્ઞાનું પાલન પણ પ્રાણાન્તે કરતા જ હતા. કાયબળથી બાહ્યક્રિયામાં ફેર પડ્યો. પણ મૂળ ક્રિયાના અંશો તો યથાવત્ રાખ્યા છે. મોહની પ્રબળતા વધી તેથી સ્વચ્છંદભાવ વધ્યો છે; આથી વર્તમાન જીતકલ્પમાં દ્વાદશાવર્ત સમયે ગુરુના ચરણનો સ્પર્શ નથી. અમ્મુદ્વિઓ ખામતાં ચરણ સ્પર્શ છે. જો કે વર્તમાન કાળમાં ગુરુચરણે સ્પર્શ કરવાની વિધિ વિચ્છેદ થઇ નથી. પણ બંધ કરાઇ છે. ગુરુ મ. ના અવગ્રહમાં જવાના પ્રતિક રૂપે પોતાના સ્થાનથી સ્હેજ આગળ આવવાનું છે. ગુરુ ભગવંતે આપેલા ઓધા ઉપર જ ગુરુ ચરણોની સ્થાપના કરવાની છે. ગુરૂ પરમતા૨ક ઉપકારક છે. એ ભાવ સ્પર્શે તો વંદનની ક્રિયા સુંદર થાય. ગુરુમાં ગુરુતત્ત્વ નિહાળવાનું છે. બાહ્ય શરીરથી તો બધા સમાન છે. તે રીતે ગુરુને જોવાથી બહુમાન ન થાય. यो गुरुं मानवं अभिमन्यते सो सात जन्मनि रोरो जायते . ગુરુ એ દેવનું સ્વરુપ છે; છતાં ગુરુને જે માનવ માને છે. એ સાત જન્મમાં ‘(રો૨)’ ભિખારી થાય છે. આમ અન્યદર્શનમાં છે. જોકે તેઓ ગુરુને અતિરેકથી માને છે. ‘‘ગુરુ ગોવિંદ દોનો મિલે'' કહીને ગુરુને જ આગળ કરે છે. આ ખોટું છે. મોહના ક્ષયોપશમના સંસ્કારની ઉચ્ચ ભૂમિકાએ બેઠેલા હોય તે ગુરુ કહેવાય. દીક્ષા પર્યાયમાં આગળ હોય તે વડીલ કહેવાય. ગુરુ તત્ત્વ આપણા હૈયામાં સ્પષ્ટ નથી; માટે ગુરુભક્તિ ક્યારેક ઘેલછામાં પરિણમે છે. અહીં વંદન કરતાં-૧૦ આંગળીથી ગુરુ ચરણોમાં=રજોહરણને સ્પર્શ કરી મસ્તક પર અડાડે. મસ્તકની જમણી બાજુ જ્ઞાનેન્દ્રિયના પાંચ સેન્ટ૨ છે. ડાબી બાજુ કર્મેન્દ્રિયના પાંચ સેન્ટ૨ છે. એનું કારખાનું મેરુદંડમાં છે. મેઇન કેબીન અહીં મગજમાં વાચના 33 Jain Education International For Private & Personal Use Only ૨૭ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy