SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ @ાGિUક88 ગુરૂ પત્તિ માનોય...ll૧રા મૂત્ર તતઃ પતિ પ્રતિનિધ્ય વન્દન રો..૧રા ટીશ પરમાત્માના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ બાલજીવો સરળતાથી સામાચારી સમજી શકે તે માટે “યતિદિનચર્યા' નામના ગ્રંથની રચના કરી છે. તે સામાચારીના પાલન દ્વારા સાધુ જીવનની સફળતા કરી શકાય તે માટે આ ગ્રંથની વાચના ચાલે છે. તેમાં ત્રીજા આવશ્યકની મુહપત્તિના પડિલેહણ પછી વાદણાંની વિચારણા કરીએ છીએ. દ્વાદશાવર્ત વંદનનો અધિકાર ચાલી રહ્યો છે. વિનયનું પ્રતિક તે વંદન છે. આ વંદનનું ઉદાત્ત સ્વરૂપ વાંદણામાં આવે છે. વાંદણા એટલે ગુરુની કરાતી વિનયની પ્રક્રિયા. વાંદણાનું મૂળ નામ દ્વાદશાવર્ત વંદન છે. દ્વાદશ = બાર; બાર આવર્ત જેમાં છે તેવું વંદન તે દ્વાદશાવર્ત વંદન. વંદનમાં કરાતા પચ્ચીસ આવશ્યક કરવાના જ છે. છતાં તેમાં કારણે એક-બે ઓછાં વધતા થાય તો ચાલે પણ ૧ર આવર્તતો થવા જ જોઇએ તો જ દ્વાદશાવર્ત વંદન કહેવાય. આવર્ત એટલે..? આવર્ત શબ્દમાં +વૃત્ ધાતુ છે. કા = મર્યાદા અર્થમાં છે. વૃત્ ધાતુ વર્તવું અર્થમાં છે. અર્થાત્ પરમાત્માની આજ્ઞાની મર્યાદા પ્રમાણે વર્તવું. એટલે બહુમાન દર્શાવવા હાથની ચેષ્ટા કરવી તે આવર્ત. આ વંદન પ્રદક્ષિણાવર્તમાં | વાચના-૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy