SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ છે. “આદર્શ ગચ્છાધિરાજ' પર/પ૩મું પાનું વાંચવું. અરિહંત સિવાય કોઇના મંદિર હોય જ નહીં. દેવ-દેવીના પણ મંદિર હોય જ નહીં. માત્ર ચોકીદાર તરીકે દહેરાસરની બહાર ગોખ-દેરીમાં સ્થાન હોય. ગુરુ મ. ની પૂજા હોય જ નહી. માટે જ જિનાલયને દેરાસર કહેવાય. વીતરાગના દેરાસરને દેરાસર કહેવાય “કાલિકા' વિગેરેનું દહેરું એમ ન બોલાય. છબસ્થના ઘર હોય, મંદિર હોય પણ દેરાસર ન હોય. જિનશાસનમાં માત્ર વીતરાગની જ પૂજા છે. ગુરુ મ. ની ભક્તિ બહુમાન કરવાનું છે, વિનય કરવાનો છે. ર૧ પ્રકારના આવર્તમાં એક પ્રદક્ષિણા નામનો આવર્ત છે. વંદનમાં ગુરૂ મ. ને પ્રદક્ષિણા દેવાની છે. કેટલાક દેરાસરમાં પ્રદક્ષિણા નથી દેતા પણ પ્રદક્ષિણા દેવી જ જોઇએ. પ્રદક્ષિણા દેવા માટે દેરાસરમાં ભમતિ આવશ્યક છે. આથી જ શીલ્પ શાસ્ત્રનો નિયમ છે કે ભમતી વિનાનું દેરાસર ન હોય. અનાદિના ભવ ભ્રમણ ટાળવા માટે ભમતી છે. આરતી ઉતારતાં પણ પ્રદક્ષિણાવર્ત સાચવવાનો છે. આરતી નાસિકાથી ઉપર નહિ અને નાભિથી નીચે ન લઇ જવાય. આવર્તમાં પ્રદક્ષિણાવર્તન જિનશાસનની યોગિક-ક્રિયામાં વિશિષ્ટ મહત્વ છે. આપણા વામાવર્ત યોગને બદલવાના છે. તે માટે ગુરુમ. ને પ્રદક્ષિણાવર્તથી વંદન કરવાનું છે. તે માટે નિસિહિયાએ'' બોલી ગુરુ મ.ના અવગ્રહમાં પ્રવેશ કરવાનો. - સાધુએ પોતાનું જીવન ગુરને સમર્પિત કરેલું છે. તેથી અવગ્રહમાં જઇ વંદન કરવાનું છે. પરંતુ પડતાકાળના પ્રભાવે તથા વિનયની ખામીને કારણે જી તકલ્પ પ્રમાણે * પૂ. બૂટેરાયજી મહારાજ ઠા. ૬૯ દીક્ષાના સ્થાને આવી બેઠા. અહીંયા પંન્યાસજી નવા પંન્યાસ થયા હતા તેમણે દ્રવ્ય પૂજાની નવી રીત ચલાવી. દીક્ષાર્થી પ્લેને પંન્યાસજીની રુપયા વડે નવાંગી પૂજા કરી. પૂ. બુટે રાયજી મહારાજ વગેરેએ તુરતજ આ નવી પ્રથાનો સખ્ત વિરોધ કર્યો. પૂ. નીતિવિજયજી મહારાજે ભાર દઈ ને જણાવ્યું કે આ દ્રવ્યપૂજા તે ચૈત્યવાસીના અનુકરણ રુપે છે, યતિઓએ ચલાવેલી પ્રવૃત્તિ છે. આમાં મુનિપદનો ઉપહાસ છે. યતિઓએ દ્રવ્ય જોડવાની રીત ચલાવેલી છે. સંવેગી સાધુ અને તેની દ્રવ્યપૂજાનો મેળ મળતો જ નથી. શાસ્ત્રોમાં જિનપૂજા કહી છે, ગુરુભક્તિનું વિધાન છે, ગુરુપૂજનનું વિધાન નથી. કોઇ વિશેષ પ્રસંગને આગળ ધરીને અથવા ગુરુ દ્રવ્ય વધારવાનું બહાનું બતાવી ગુરુપૂજા કરાવવી એ તો ચોખ્ખી માન લાલસા જ છે. કોઇ રાજા મહારાજા યુગપ્રધાનની પૂજા કરે એમ જણાવી ગઇ કાલનો ગાંગો આજે ગણેશવિજય બની પાટે ચડીને પોતાની પૂજા કરાવવા બેસે એ તો એક નાટક જ છે ના ? સાધુ પોતાની દ્રવ્યપૂજા કરાવે તે ભૂલ છે. આ કલ્પિત પ્રથાનો અંત લાવવો જોઈએ વગેરે. પૂ. ગુરુદેવ વગેરે આ રીતે દ્રવ્યપૂજાનો વિરોધ કરી ઉઠી શહેરમાં ચાલ્યા ગયા અને શેઠ દલપતભાઇના વંડામાં જઈ રહ્યા. આદર્શ ગચ્છાધિરાજ' (આવૃત્તિ-૧ (૨૦૧૬) પૃ.નં. પરપ૩). વાચના-૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy