SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ નથી કરતા તો હું કરું ! જેથી તેઓની બુદ્ધિ ઠેકાણે આવે.” એમ વિચારી આચાર્ય મ.સા. પૂછે છે કે હું ક્યું વંદન કરું !'' ભાણેજ મ.સા. બોલે કે જે તમોને ઉચિત લાગે તે કરો. આ સાંભળી આચાર્ય મ. વિચારે છે કે આ નિર્લજ્જ દુષ્ટ લાગે છે. આમને તો વક્તો વન્ડે. ઉત્કૃષ્ટ દ્વાદશાવર્ત વંદન કરું એમ વિચારી મનમાં ભારોભાર દ્વેષ, આચાર્ય પદવીનું અભિમાન હતુ ને ચારે સાધુને દ્વાદશાવર્ત વંદન કર્યું. ત્યારે એક કેવળી બોલે છે “હે ! આચાર્ય ! તમોએ તો આ દ્રવ્ય વંદન કર્યું ભાવથી કરો ! આ સાંભળી આચાર્ય મ. ચમકી ગયા. આ લોકો મારા મનની વાત જાણે છે ? તેથી પૂછે છે “તમોએ કેવી રીતે જાણ્યું ?' ભાણેજ મ. - ગુર પસાયે – જ્ઞાનથી. આચાર્ય મ. - ક્યું જ્ઞાન ? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ જ્ઞાન ? ભાણેજ મ. - અપ્રતિપાતી આ સાંભળી આચાર્ય મ. ખૂબ ચમકી ગયા. તેઓની જ્ઞાન-ગંભીરતાની પ્રશંસા કરે છે. કેવલીની આશાતના કરી તેના પશ્ચાત્તાપથી રડતાં-રડતાં એઓ પણ કેવલી બની ગયા. ચોથા આરામાં કેવલજ્ઞાન સતું હતું એમ નહીં, પણ અધ્યવસાયની કેળવણી એ કાળમાં સારી કરી શકતા હતા. સરળ હૃદયના હતા. વંદન કરવામાં ભાવ ભળે તો કેવળજ્ઞાનની ભૂમિકા સુધી લઈ જાય. તેવી ક્રિયા છે. આપણા વંદનમાં ઉલ્લાસ બહુમાન કેટલું છે ? દેવ-ગુરુ પ્રત્યે બહુમાન જાગે તો અંતરના ભાવોલ્લાસ પેદા થાય. ગચ્છાધિપતિ માણેક્સસાગરજી મ. એ કહે છે કે “સાંજના પ્રતિક્રમણ પહેલાં સ્થાપનાજીને વંદન કરવાની કોઈ સમુદાયમાં પ્રણાલિકા છે તે કોઈ સમુદાયમાં નથી. સવારે સૌને ઉતાવળ હોય આથી સામૂહિક વંદન નહીં કરી શકાય. પરંતુ સાંજે તો સામુહિક વંદન કરવું.*સાધુ-સાધ્વીએ મુર્તિક ફોટા રાખવા તે પંચમ ગણધરનું તથા સ્થાપનાચાર્યનું અપમાન છે; મિથ્યાત્વ છે. ફોટા રખાય જ નહી. પોતાના ફોટા રાખવા માટે ગુરુના રાખે. મૂર્તિ-ફોટાથી શાસ્ત્રીય મર્યાદાનો અપલોપ થાય છે. * વંદન સમયે તથા દેરાસરના અભાવમાં ચૈત્યવંદનમાં મૂર્તિ કે ફોટા મુકાય છે તેમાં ઉક્ત વાત પૂજ્યશ્રી ફરમાવતા હતા...આવા પ્રસંગે સ્થાપનાચાર્ય સામે જ વિધિ કરવાનું વિહિત છે. તેમાં ફેરફાર ન કરાય. વાચના-૩૨ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy