SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાળ વેળા = અસૂર વેળા થઇ ગઇ તેથી રસ્તામાં ગામ બહાર જ રહ્યા ત્યાં જ માંડલા પ્રતિક્રમણ વિગેરે કરે છે. નગરમાં જતા કોઇક શ્રાવક જોડે તે સાધુઓએ મામા મ. ને કહેવડાવ્યું કે “તમારા ભાણેજ મહારાજ આવ્યા છે; સમય થઇ જવાથી ગામની બહાર જ દેવકૂલમાં રહ્યા છે.” મોહનીયના સંસ્કાર કોને વધારે દબાવ્યો છે એ તો જ્ઞાનીગમ્ય છે. મોટા હોય એને મોહનીયના સંસ્કાર દબાવ્યા જ છે. એવું નહિ અંતરની પરિણતીના આધારે ખ્યાલ આવે. આ બાજુ દેવકુલમાં જગ્યા ન હોવાથી ચારે સાધુઓ રાત્રે સંથારો કરતા નથી. બધા જ કાઉસગ્નમાં રહ્યા. (તમસ્કાયથી બચવા) બહાર ન રહ્યા. રાત્રે કાઉસગ્નમાં દ્વાદશાંગીની વિચારણામાં...અને સવાર થતાં જ આચાર્ય મ. ને વંદન કરવાના શુભ અધ્યવસાયના બળે ચારે સાધુ કેવળી બની ગયા. કેવલજ્ઞાન થવાથી હવે વ્યવહારાતીત થયા. આથી સવારે તેઓ દેવકૂલમાં જ રહ્યા. આગળ ન ગયા. સ્વકલ્પ પ્રમાણે જ રહ્યા. સવારે ગામમાં આચાર્ય મ. (મામા મ.) ચારે સાધુ-ભાણેજ સાધુને આવવાની રાહ જુએ છે, અને વિચારે છે કે “હમણાં એકાદ મુહૂર્તમાં આવશે.' મુહૂર્ત વિતિ ગયું છતાં ન આવ્યા. એટલે ફરી વિચારે છે કે “કદાચ સૂત્ર પોરસિ કરીને આવશે.” સૂત્ર પોરસિનો પણ સમય પૂરો થયો અને ન આવ્યા, એટલે અર્થ પોરસિ કરી આવશે એમ વિચારી રાહ જુવે છે. છેવટે મોડા સુધી તે સાધુઓ આવ્યા નથી, તેથી મામા મ. (આચાર્ય) પોતે જ સામે ગયા (કદાચ સામાચારી ભેદ હશે એથી બીજા સાધુ ન ગયા.) આચાર્ય મ. ને મનમાં થોડો ગુસ્સો અપ્રીતિ હતી. એકલા જ ગયા. મંદિરમાં જોયુ તો ચારે સાધુ આસને બેઠેલા હતા. આચાર્ય મ. નજીક આવ્યા છતાં તે સાધુઓ ઉભા થતા નથી. “મત્યએણ વંદામિ'' બોલતા નથી. દાંડો પણ લેતા નથી. આથી મનમાં ને મનમાં વિચારે છે. “જોયા હવે આ સાધુ કેવા અભિમાની છે. કેવા પર્યાયના માની છે.” એમ મનમાં ગુસ્સો કરે છે. કેવળી તો અનુવંદના પણ ન કરે. આથી ચારે સાધુમાંથી કોઇ “વંદના અનુવંદના'' પણ બોલતું નથી. આચાર્ય મ. સામેથી મયૂએણ વંદામિ' બોલે છે. સંfમત્ર = ઉત્કૃષ્ટ વિહારીને આપસમાં વંદન થાય. હાલ નથી કરતા પણ કરવું જોઇએ. આચાર્ય ભગવંત મનમાં વિચારે છે કે આ “એમની છોકરાઇ છે. માટે વંદન વાચના-૩૨ ક - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy