SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પરસેવાથી રેબઝેબ થઇ ગયા. કૃષ્ણ મહારાજાની સાથે વંદન કરતાં એક એક એમ બધા રાજાઓ છૂટી ગયા, માત્ર વીરો સાળવી છેલ્લે રહ્યો. વંદન કરતાં કરતાં કૃષ્ણ મહારાજાને ભવનો થાક ઊતરી ગયો. પૂર્વબદ્ધ ૭મી નરકના અશાતા વેદનીયનો ઉપક્રમ થતાં થતાં ૩ નારક સુધી દળિયા રહ્યા. ક્ષાયિક સમકિત પામ્યા. (મતાંતરે છેલ્લે ક્ષાયિક પામે છે. એમ પણ છે.) તથા તીર્થકર નામકર્મની ભૂમિકા તૈયાર કરી. આમ કૃષ્ણ મહારાજાને વંદનના પ્રભાવે ત્રણ લાભ થયા. કૃષ્ણ મહારાજાએ પૂર્વે નારકનું આયુષ્ય બાંધ્યું નહોતું. માત્ર અશાતા વેદનીય કર્મના દળિયા બાંધેલા માટે ફેર પડ્યો. અહીં ૩૩ સાગરોપમના અશાતા વેદનીય દળિયામાં ઉપક્રમ કર્યો છે. નરકાયુ પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ એ ચાર રીતે બંધાય. આયુષ્ય બંધાય પછી કોઇ જ ફેર ન પડે. કૃષ્ણ મહારાજાએ એક દિવસના ટૂંકા ગાળામાં ૧૮૦૦૦ સાઘુને વંદન કેવી રીતે કર્યું? એક વાચના વાળા જેટલા સાધુ હોય તેને એક “ગણ' કહેવાય. (એકજ આચાર્યની પાસે વાચના લેતા સાધુ) એમણે એકેક ! ગણને અનુલક્ષીને વંદન કર્યું. આથી ૪-૫ કલાકમાં ૧૮ હજાર સાધુને કૃષ્ણ મહારાજાએ વંદન કર્યું. કૃષ્ણ મહારાજાએ ૧૮ હજાર સાધુઓને ઉત્કૃષ્ટ વંદન કર્યું હતું તેનું બીજું નામ દ્વાદશાવર્ત વંદન છે. ટીકાકાર 'વંદ્રન વત્તે ' વંદન દેવા એમ કહે છે. આપણે વાંદણા લેવા તેમ બોલીએ છીએ. બંને સાચા છે. ખમાસમણાના ૧૭ સંડાસા અને રપ આવશ્યક પૂર્વક વંદન દેવાનું છે. તેમાં ૧ર આવર્તની વિશિષ્ટતા છે. માટે જ આ ઉત્કૃષ્ટ વંદન છે. આ વંદનમાં આવર્તનું વધુ મહત્વ છે. સુચ્છામિ રHIYUો વં૩િ હાથ જોડીને કમ્મર નમાવીને બોલવું. વંદનમાં (વં૩િ બોલતાં) હેજ વધુ નમવું. जावणिज्जाए निसिहिआए ગુરુ મ.સા. ને ૧રી હાથ અને આમ ૯ હાથનો મિતાવગ્રહ છે. (જઘન્ય ૩ વાચના-૩૦ ::::::: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy