SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ હાથ) વંદન કરતાં ગુરુ ચરણે હાથ મૂકવાનો છે. માટે અવગ્રહ માં આવવાનું છે. શ્રાવકોને અવગ્રહમાં આવવાનું નથી. હા. શ્રાવક ભાવથી આવે પણ દ્રવ્યથી ત્યાં જ રહે. પ્રતિકરૂપે માત્ર એક કદમ આગળ આવે. આજ્ઞાના વફાદાર સર્વ વિરતિધર સાધુઓ છે. પોતાનું સર્વસ્વ જીવન-શરીર ગુરુ મ. ને સમર્પિત કર્યું છે. માટે તેઓ ગુરુ મ. ના અવગ્રહમાં આવી શકે. શ્રાવકો માત્ર ઉમેદવાર જ છે, માટે ત્યાં રહીને જ ખમે. શિષ્ય જ્યારે ઋમિ રમાસમUો’ ‘હે ગુરુ ભગવંત હું વંદન કરવા ઇચ્છું છું.' એમ કહે ત્યારે ગુરુ મ. 'છે' તમારી ઇચ્છા અનુસાર કરો એમ કહે કેમકે ગુરુ મ. નિષેધ કરેતો સામી વ્યક્તિના ભક્તિ ભાવમાં અંતરાય પડે, અને વંદન કરવાની “હા” કહે તો પોતાનો અહંભાવ પોષાય, માટે ગુરુ મ. વૈ૩િ વખતે $T' કહે. આજે થતા વંદનમાં વિકૃતિ છે. શિષ્યોમાં વિનયગુણની કેળવણી નથી. વંદન ક્યારે કરવું તે પણ ન વિચારે. મિલેટ્રીનો અધિકારી મંત્રીને એટેનશનમાં રહી સલામ કરીને, કહીને આગળ વધે; ત્યારે વડીલ (મંત્રી) પણ સામુ સલામીનો જવાબ “જ્યહિંદ' આપે છે. એટેનશન (જય હિંદ) કહે. આમ ગુર મહરાજે પણ કરવાનું છે. શિષ્ય વંદિઉં” બોલ ત્યારે ગુરુએ સામે છંદે બોલવાનું છે. પણ સમયે વંદન કરીયે તો જ આ બની શકે. ગમે ત્યારે વંદન કરીયે તો ગુરુ મહારાજ સામેથી “એટેનશન'=છંદેણે કેવી રીતે કહી શકે ? પૂર્વના ગુરુઓ પણ સામાચારી વિરુદ્ધ કરતા ન હતા. આજે તો પોગલિક ભાવની વળગણા વળગી છે. આખો દિવસ ભક્તોના ટોળા હોય. આથી શિષ્ય વંદન ક્યારે કરે ? રંગ-પોત બેયનો વાંક છે. માટે જ હવે યુગપ્રધાનની જરૂર છે. દેરાસરની જેમ ગુરુ મહારાજનું સ્થાન પણ પવિત્ર છે. આથી ગુરુ મ. નો અવગ્રહમાં પેસતાં શિષ્ય નિસીહી કહે, પછી ૩ સંડાસા આગળના, ૩ સંડાસા પાછળના અને ૩ સંડાસા ભૂમિના કરે. વાંદણામાં કરાતા ૧૭ સંડાસા અને ખમાસમણા કરાતા ૧૭ સંડાસામાં ફેર છે. પગની આગળ અને પાછળ કરતા ૩-૩ સંડાસા (મધ્યમાં જમણે ડાબે) ખમાસમણામાં અને વાંદણામાં ચેન્જ નથી, આ. ૬ સંડાસા બરાબર છે, પણ; ૭-૮-૯ નંબરના ભૂમિ ઉપર થતા સંડાસામાં ફેર છે. વંદન (વાંદણાં) સમયે આ ત્રણ સંડાસા આડા કરવાના જ્યારે ખમાસમણામાં આ ત્રણ સંડાસા ઉભા કરવાના. કેમકે; વંદનમાં માત્ર બે પગ -::::: વાચન-૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy