SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન. લેશ્યા સ્ત્રીઓને તથા સાધ્વી મહારાજને હોવા છતાં એ બોલ શા માટે નથી બોલવાનો ? ઉત્તર : અનંતી પાપરાશી ભેગી થવાથી સ્ત્રીવેદ મળે છે. માટે તેઓએ ક્રિયા વધુ જ કરવી જોઇએ. છતાં આ બોલ બોલવાથી લજ્જા-મર્યાદા જળવાતી નથી. મુહપત્તિના છેલ્લા ૨૫ બોલ કાયાની પડિલેહણના છે. સ્ત્રી-વર્ગમાં અમુક અંગો વસ્ત્રાવૃત હોય છે, તેથી કાયા પડિલેહણ થઇ શકે નહીં. જો મસ્તક-સ્કંધાદિનું પડિલેહણ કરે તો તે ભાગ ખૂલ્લો થાય, જેમાં લજ્જાદિ મર્યાદા જળવાય નહીં. માટે આ બોલ બોલવાનું વિધાન સાધ્વીજી મ. તથા શ્રાવકાઓને નથી. પ્રશ્ન. : રક્ષા અને જયણામાં શો ફેર ? ઉત્તર : વિરાધના કરવાનો ભાવ ન હોય પણ સાપેક્ષપણે કરવી પડે તે જયણા અને વિરાધના કરવી જ ન પડે તે રક્ષા. ગૃહસ્થ ત્રસકાયની રક્ષા કરે છે ને ? એમ પ્રશ્ન થાય. પણ ના, શ્રાવકો ત્રસકાયની પણ રક્ષા નથી કરી શકતા ? અનાજ વિગેરે માં ધનેરા પડે તો રક્ષા ક્યાંથી ? આમ જયણા જ કરે છે. છતાંય પુસ્તકમાં ત્રસકાયની રક્ષા શા માટે છે ? આનું કારણ તો જ્ઞાની ભગવંત જાણે. પ્રશ્ન. મુહપત્તિની કિનારી ડાબી બાજુથી જમણી બાજુ કેમ લઇ જવાની ? જ. આજ્ઞાથી આપણે વામ એટલે આડા થયા છીએ અને સવળા થવા માટે ડાબી બાજુથી જમણી બાજુ કિનારને લઇ જવાની. વાચના-૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy