SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ તે કામરાગ છે. ખાવા-પીવા, દેખવા, સાંભળવામાં પણ માનસિક દોર છૂટો નથી મુકવાનો. કુટુંબ પ્રત્યે રાગ થાય તે સ્નેહરાગ છે. તત્ત્વની વાત છોડી ધર્મના નામે વ્યક્તિગત રાગ પોષાય તે દ્રષ્ટિરાગ છે. સંયમના ઉપકરણમાં સંયમ સહાયક બુદ્ધિને બદલે પૌદ્ગલિક=મોહક રાગ થાય તે પણ સ્નેહરાગ છે. ઉપયોગની જાગૃતિ ન હોય તો સાધુપણામાં પણ આ રાગ સ્પર્શી જાય. સ્નેહરાગ વજ્રશૃંખલા જેવો છે. ગૌતમસ્વામિને વીર પ્રભુનો રાગ તે સ્નેહરાગ હતો. તેથી જ ગૌતમસ્વામી ભગવંતનું કેવલજ્ઞાન અટકેલું હતું. દેવાધિદેવ તરીકેનો રાગ કદી કેવળજ્ઞાન ન અટકાવે. પણ ગૌતમ ને ત્રિપૃષ્ઠ ભવમાં રાગની સાંકળ બંધાય છે. એના પરિણામે અહીં તીવ્ર રાગ થયો. અને આવેશમાં બોલી જતા કે “હે ભગવાન મારે કેવળજ્ઞાનને શું કરવું છે ? મારે આપ તો જોઇએ !'' આવું ક્યારેક બોલી જતા. પોતાને છઠ્ઠ હોય તો ભગવંત માટે ગોચરી તે જ લાવે.'' મારા ભગવંતને શું ફાવે ? શું અનુકૂળ આવે ? એમ મમત્વભાવનો રાગ હતો. શરીરનો રાગ નહી પણ પૂર્વના રાગની પરંપરા ચાલી જ આવતી હતી. ક્યારેક સિંહ અણગાર પ્રભુની ગોચરી લાવતા, ભગવંતને કેવળજ્ઞાન થયા પછી સામાચારી ભેદ ન હોય, આથી કોઇ ગણધર ગોચરી આપવા આવે ત્યારે જરુર હોય તો લઇ લે. આમ ગૌતમસ્વામીને ગોચરી બાબતમાં ભક્તિરાગ હોવા છતાં સ્નેહરાગની પ્રબળતા વધુ રહેતી. તત્ત્વની વાત છોડી; પોતાનો વ્યક્તિગત રાગ પોષાય તે ધર્મનો મિશ્રિત રાગ તે દ્રષ્ટિરાગ. તેમાં આ જ મારા દેવ, આજ મારા ગુરુ એમ માને. રાગના ફંદામાં ફસાય કર્મબંધનું અટકાવવાનું ધ્યેય ભૂલે તે ધર્મ મિશ્રિત રાગ. મુહપત્તિ ખોલીને પડિલેહણ કરવાનું છે, તે પડિલેહણમાં હવે લાજ જેવો આકા૨ ક૨વાનો છે. માટે તેને ‘વધૂટક' કહેવાય છે. મુહપત્તિ લૂજ (નરમ) છે. તેમ આપણે નમ્ર બની જવાનું છે. વાચના-૩૧ Jain Education International For Private & Personal Use Only ૧૭ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy