SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧) બોલતાં-ઉપયોગ કરતાં મુહપત્તિની બાંધેલી કિનારી આપણા ડાબા હાથ તરફ હોય આથી ભગવાનનો જમણો હાથ થયો એમની આજ્ઞાના પ્રતિક રૂપે એ કિનારી છે. (૨) પ્રસ્ફોટક એ આત્માની અંદર રહેલા દોષો ને કાઢવાનું પ્રતીક છે. મુહપત્તિને ખંચેરતાં આત્માને ખંખેરી તે-તે દોષોને (તે સમયે જે બોલાય છે) દૂર કરવાનું લક્ષ રાખવાનું છે. (૩) મુહપત્તિ ખોલીને પડિલેહણ કરવાનું છે. કેમકે મુહપત્તિ ખોલવી તે જાતને ખોલવાનું પ્રતિક છે. જાતને ખોલ્યા વિના પ્રાયશ્ચિત્ત કદી ન થઇ શકે. મુહપત્તિનું પડિલેહણ કરતાં ૫૦ બોલ બોલવાના છે. તેમાં સૌથી પહેલાં “સૂત્ર અર્થ તત્ત્વ કરી સદહું” એ બોલ છે. તીર્થકર ભગવાનની વાણીને ગણધરોએ ગૂંથી છે. તે વાણી બે પ્રકારની છે. (૧) સૂત્રાત્મક (૨) અર્થાત્મક. આ બંને વાણી તન્વરૂપે છે. તેવી શ્રધ્ધા કરવાની છે. તત્ત્વ એટલે શ્રેષ્ઠ, સાર, સદહું શબ્દમાં સદ્ + ધ ધાતુ છે. ધા ધાતુ ધારણ કરવાથું છે. અર્થાત્ આ અર્થ જ શ્રેષ્ઠ છે. આ અર્થ જ સાર છે. આજ કલ્યાણકારી છે. એમ ધારણ કરું છું. મિથ્યાત્વ મોહનીયનો રિફાઇન શુધ્ધ કરેલો પૂંજ છે. તે સમકિત મોહનીય શુધ્ધ + અશુદ્ધ=અર્ધ શુદ્ધ તે મિશ્ર મોહનીય અને અશુધ્ધ તે અશુદ્ધ મિથ્યાત્વ મોહનીય. એના ઉદયથી મન અસ્થિર થાય. સાચું સમજ્યા છતાં મન ડામાડોળ થાય તે સમકિત મોહનીય. આ ત્રણેય મોહનીય, સમકિતને ડોહળી નાંખે છે. માટે તે પરિહરવાત્યાગવા યોગ્ય છે. ત્રણ રાગ છે (૧) વિષય પ્રતિ રાગ (૨) કુટુંબ પ્રતિ રાગ (૩) ધર્મનો મિશ્રિત રાગ. જેમાં માનસિક દોર છૂટ મૂકી દેવાય તે કામરાગ. માત્ર; સ્ત્રી વિજાતિય પ્રત્યેનો રાગ તેટલો જ કામરાગનો અર્થ નથી, પણ; પાંચ ઇન્દ્રિયો ના વિષયો પ્રત્યેનો વાચના-૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy